આભડછેટની મોંકાણ

‘પણ ગાંધીજી આ અહિંસા લાવ્યા ક્યાંથી ?’ ‘એલા, વાણિયા તો અહિંસામાં જ માને ને ?’ પાછાં મહેશ્ર્વરી બોલ્યાં અને સૌ હસી પડ્યાં.’ ‘પણ આ સત્યાગ્રહ ?’ સુરજીએ પૂછ્યું. ‘એલા, એય આપણે ત્યાંના ચારણ બારોટ ત્રાગાં કરતા’તા,’ મથુરાદાસ બોલ્યા. ‘હા, આપણા મહાદેવ ખેંગારજી બીજાએ ચારણોના ગામ લાખીયારવીરાને તોપથી ઉડાવી દેવા હુકમ કર્યો તો ચારણ આઈ જીવાંમા અને એમની દીકરી દિપાબાઈએ જીવતાં અગ્નિપ્રવેશ કરી ત્રાગું કર્યું હતું અને ખેંગારજીને નમાવ્યા હતા. આજની તારીખે પણ લાખીયાવીરાના ગઢવી ભૂજનું પાણી પીતા નથી.’ રવજીએ કિસ્સો યાદ કર્યો......

આ તે એમેઝોનનો કર્મચારી કે રોબો ?

બ્રિટનમાં આવેલા ટેસ્કોના એમેઝોનના ગોડાઉનમાં જીએમબી યુનિયનના 200 સભ્યો છે તે પૈકી 80%ને કામના ભારણને કારણે દુ:ખાવો થાય છે. એક સગર્ભા મહિલા કામદારે જણાવ્યું કે તેને 10 કલાકની પૂરી પાળી દરમિયાન ઊભા રહેવાની ફરજ પડાય છે. યુનિયનના કહેવા મુજબ તો સ્ટાફના કામની ઝડપ માપવા ત્યાં ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્યક્ષમતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની લ્હાયમાં કામદારો પાણી પીવા કે બાથરૂમ જવાનું પણ ટાળતા હોય છે. આવા લક્ષ્યાંકોને કારણે જ એક સગર્ભા બહેનને ગર્ભપાત થઈ ગયો. આ મુદ્દો બ્રિટનના કામદાર યુનિયન સાથે સંકળાયેલા સંસદ સભ્યોની બેઠકમાં પણ ચર્ચાયો હતો......

સુમનભાઈ દેસાઈ : એક સાત્ત્વિક સજ્જનની વિદાય

સુમનભાઈ હંમેશાં છેલ્લામાં છેલ્લા માણસને કઈ રીતે મદદરૂપ થવાય તેની ચિંતામાં રહેતા, ગાંધીવિચારનું કામ, સજીવ ખેતીનાં કામો. સિદ્ધાંત-પૂર્ણ જીવન જીવનારાઓને મદદ કરવાની ભાવના હંમેશાં રહેતી. આર્થિક મદદ પાછળ સારાં કાર્યો ચાલતાં રહે તેવી લાગણી. આર્થિક મદદ કરે તેની સાથે એ કામો કેવાં ચાલે છે, તેનાથી સમાજને, લોકોને શું ફાયદો થયો તે જાણવાની તેમને હંમેશા ઈંતેજારી રહેતી. ગુજરાતના લગભગ બધા જ કર્મશીલોને તેઓ મદદરૂપ થયા છે - મિત્રો મળવા આવે તો ખૂબ રાજી થતા અને તેમની પાસેથી વિગતવાર કામ વિશે જાણતા. કોઈ કામ પણ ઉપયોગી લાગે તો ઉપરવટ જઈને વધુ મદદ પણ માંગ્યા વિના મોકલી આપતા.

અતિથિ દેવો ભવ!

આપણા શાસકો માટે રાજકારણ સેવા નહીં, ખેતી બની ગયું છે, જ્યાં મબલખ પાક લઈ શકાય છે. વારસામાં તેમનાં સંતાનોને આ ફળદ્રુપ ખેતર મળે છે. ટ્રમ્પ સાહેબ આભાર આપનો. આપના આગમનને કારણે રસ્તાઓની મરામત થઈ ગઈ. ગાંધીઆશ્રમ તરફ ધ્યાન ગયું. અસામાજિક તત્ત્વોની હકાલપટ્ટી થઈ. ગંદકીનું નામોનિશાન ન રહ્યું. હવે કોના આવવાથી અમારા જાહેજીવન અને રાજકારણની ગંદકી દૂર થાય છે, તેની રાહ જોઈએ.

ખુશીઓનો પાસવર્ડ

ભૂમિપુત્રની વાર્તા.....         નીતીશની આંખો અચાનક ખૂલી ગઈ. કેટલા વાગ્યા હશે? એણે મોબાઈલમાં જોયું. ઓહ! હજી તો ચાર પણ નથી વાગ્યા. હમણાં હમણાં આવું જ થાય છે. અડધી રાતે ઊંઘ ઊડી જાય પછી આંખ મીંચાવાનું નામ નથી લેતી. એટલામાં એને કાને અવાજ પડ્યો,         ‘ટ્વિચ, ટ્વિચ,’         કોણ જાણે આ ચકલીનું શું લુંટાઈ જતું હશે …

Continue reading ખુશીઓનો પાસવર્ડ

કોરોના લોકડાઉન અને ભારતમાં મંદી

કોરોના મહામારીના કિસ્સામાં બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે દેશની આવક ઘટશે એટલે કે મંદી આવશે અને બીજું બેકારી વધશે. પરંતુ આ અસર સમયના ટૂંકા ગાળા માટે જ રહેશે એમ લાગે છે. જેમ જેમ અર્થતંત્ર પાટે ચડતું જશે તેમ તેમ બજારમાં રોજગારી વધશે અને આવક પણ વધશે પરંતુ તેનો ચોક્કસ સમય કહેવો અત્યારે ખરેખર જ કઠિન છે. અહીં એ બાબત સમજવી ખૂબ જ મહત્વની છે કે વર્તમાન સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ કરતા લોકોનું જીવન વધુ અગત્યનું છે.

પ્રકાશન,પબ્લિસિટી અને પ્રોપગેન્ડા

જે પ્રચાર થાય છે તે કેવળ મુખ દ્વારા થાય છે. મુખથી બોલવું, આટલો જ પ્રચારનો અર્થ છે. પરંતુ પ્રકાશન મૌનથી પણ થઇ શકે છે. પૂર્ણશુદ્ધ હૃદયના કોઈ મહાત્મા હોય અને આશીર્વાદ આપે તો તેમના આશીર્વાદથી પણ પ્રકાશન થઇ શકે છે. પ્રકાશને અંધકારનો અભાવ ન કહી શકીએ, પ્રકાશ વસ્તુ છે, અંધકાર અવસ્તુ છે. પ્રકાશમાં શક્તિ હોય …

Continue reading પ્રકાશન,પબ્લિસિટી અને પ્રોપગેન્ડા

‘હાફ કોરોના’

એક ભારતીય તરીકે આપણે જ્યારે કોઇને ‘કોરોના’ અથવા ‘ચીની વાયરસ’ તરીકે બોલાવીએ છીએ ત્યારે આપણને એ યાદ રહેવું જોઈએ કે આપણાં દેશમાં જ મલેરિયાના અઢળક કેસો છે. દર વર્ષે બે લાખ જેટલાં ભારતીયો ટી.બી.ના કારણે મૃત્યુ પામે છે. તે એક ચેપી રોગ છે તથા આપણાં દેશમાં મલેરિયાના આટલાં બધાં કેસ હોવાનું કારણ છે સ્વચ્છતા અંગે ઉપેક્ષા. હવે તમે એક કલ્પના કરી જુઓ કે એક ભારતીયને વિદેશમાં ‘મલેરિયા’ અથવા ‘ટી.બી. ફેલાવનાર’ તરીકે સંબોધવામાં આવે તો કેવું લાગે!

કોરોના મારગ ચીંધે છે…

જાણે સમગ્ર વિશ્વ ધીમું પડી ગયું અથવા કંઈક કેટલુંય જાણે થંભી ગયું. કોરોનાને કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી, પોતાના ઘરમાં પુરાયેલા છે. લોકોની ગાડીઓ પાર્કિંગમાં છે, વાહનો ચાલતા નથી એટલે રસ્તાઓ પણ સુમસાન બન્યાં છે. વિમાનો મથકમાં હેન્ગરોમાં પડ્યા છે અને ઘણી ફેક્ટરીઓ પોતાના ધુમાડા ઓકતી બંધ થઈ ગઈ છે. જાણે કે શહેરોની ગતિ અથવા કહીએ કે જીવનની ગતિ ધીમી પડી ગઈ છે......

કોરોના : વ્યાપક દ્રષ્ટિએ વિચાર કરવાના પડઘમ

ઇઝરાયેલના લેખક યુવાલ હરીરી પર એટલા માટે હુમલો થયો કારણ કે તેમણે આક્ષેપ કર્યો કે બેન્જામિન નેતેન્યાહૂ (ઇઝરાયેલ વડાપ્રધાન) કોરોના ડિક્ટેટરશિપ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોરોનાનું ઓઠું લઇ નેતેન્યાહૂ ઇઝરાયેલની બધી જનતાંત્રિક સંસ્થાઓનું ગળું દબાવી રહ્યા છે. હરીરીની ટીકા થઈ રહી છે કે આ સમય સરકાર પર લોકશાહી અંગે પ્રશ્નો ઉઠાવવાનો નહીં પરંતુ, સરકારના હાથ મજબૂત કરવાનો છે. અને કેટલાક વર્તુળોમાં એ ચિંતા પણ જોર પકડી રહી છે કે કોરોનાના કેસોની તપાસ કરવાના બહાને લોકશાહી સરકાર તેની જનતા પર ચોકી પહેરો(surveillance) ગોઠવી રહી છે. આરોગ્ય એક એવી બાબત છે કે કોઈપણ માણસ નબળો પાડી જાય. તેનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે.