ગાંધીજીને ‘શિકારી’ કેમ કહેવામાં આવ્યા?

કેવા કેવા માણસોને ગાંધીએ ખેંચ્યા ! જ્યાં પહોંચ્યા, જ્યાં સત્યાગ્રહો કર્યા ત્યાં ગાંધીએ પર્સનલ લવ અને ઇમપર્સનલ લવ બંને, માણસોના સંબંધોમાં ભરપૂર રેડ્યો છે. પર્સનલ લવ ઉષ્મા આપે અને ઇમપર્સનલ લવ પ્રકાશ આપે. કૅલેનબેક, પોલાક, ઍન્ડ્રુઝ, સરદાર, નહેરુ, મહાદેવભાઈ, વિનોબા, જમનાલાલજી તથા ગાંધીજીના અક્ષરદેહના 100 ખંડોમાં ફેલાયેલા પત્રોમાં તથા મહાદેવભાઈની ડાયરીમાં વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં આ જોવા મળે છે.

વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૨)

હવે આપણે 'જ્ઞાનદેવ ચિંતનિકા' અંગે વિચાર કરીશું. આપણે ત્રણ તબક્કે આ અંગે આગળ વધીશું. ૧.જ્ઞાનેશ્વરજી, ૨. વિનોબા અને જ્ઞાનેશ્વર ૩. જ્ઞાનદેવ ચિંતનિકા. આ ત્રણ મુદ્દાનું લેખન ક્યારેક સાથે સાથે પણ થઈ જશે

વિનોબા-૧૨૫ અહેવાલ

વિનોબા-૧૨૫ વર્ષની ઉજવણી અંગે ૧૬-૧૦-૨૦૧૯ના ભૂમિપુત્રમાં આયોજન અંગેની એક નોંધ પ્રગટ કરી હતી. ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટે ભૂમિપુત્રના ૧૬-૧૧-૨૦૧૯ અને ૧૬-૨-૨૦૨૦ના અંકમાં વિનોબા- ૧૨પને ખ્યાલમાં રાખીને કેટલાક કરવાનાં અને કેટલાંક થયેલાં કામનો અહેવાલ આપ્યો હતો. ભારતીબહેન મહેન્દ્રભાઈ સારી રીતે સક્રિય થયાં હતાં, અન્ય મિત્રોને પણ સક્રિય કરવા માટે સુરત, વડોદરા, અમદાવાદ, નવસારી, વલસાડ સ્થળોએ પ્રત્યક્ષ …

Continue reading વિનોબા-૧૨૫ અહેવાલ

બે જનેતા

આ ગામને હમણાં હમણાં જ રેલવેનું સ્ટોપ મળ્યું હતું, એટલે નાનું એવું રેલવે સ્ટેશન હતું અને નાનકડું પ્લેટફોર્મ હતું. આખા દિવસમાં માત્ર બે કે ત્રણ આવતી ને જતી ટ્રેનો ત્યાં ઊભી રહેતી. ટ્રેનમાં ઊતર-ચઢ કરનારા મુસાફરો, સ્ટેશન માસ્તર અને એક હવાલદાર સિવાય પ્લેટફોર્મ પર ખાસ કોઈ દેખાતું નહીં. પણ કાયમ સૂમસામ રહેતા આ પ્લેટફોર્મ પર …

Continue reading બે જનેતા

ભાનુભાઈ મિસ્ત્રી : કાર્યનિષ્ઠાથી ઓતપ્રોત પ્રસન્‍ન કાર્યકર

ભાનુભાઈના સહજ હાસ્ય અને સરળ સ્વભાવના કારણે મૈત્રી તરત જ બંધાઈ જાય. ભાનુભાઈ પોતાના ઉપર, સામેના ઉપર, પરિસ્થિતિ ઉપર, કોઈ વાંકો ચાલે તેના ઉપર, કોઈ જ્યારે આત્યંતિક વલણ દાખવે તેના પર હસે અને હસાવે. પણ મઝાની વાત એ કે, તેમના મનમાં રતીભર પણ ડંખ જોવા ન મળે. પોતાની, સામેના માણસની મર્યાદાઓને સમજે. પણ કોઈમાં દંભ કે બેવડાં ધોરણ જુએ ત્યારે અકળાય. કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાય ત્યારે તેના કામમાં એકદમ ઓળઘોળ થઈ જાય. તે વખતે બાકીનું બધું ગૌણ બની જાય.

સમયની માંગ છે – અરવલ્લી બચાવો

વિશ્વની સૌથી જૂની પર્વતમાળાને માઇનિંગ દ્રારા ખતમ કરવી, તેની ઉપરનાં વૃક્ષો કાપી નાંખવાં, સપાટી પર બનેલી માટીને રફેદફે કરી નાંખવી, વર્ષો જૂના જળમાર્ગોને ખતમ કરવાથી થતું નુકસાન રૂપિયા આના પાઈમાં ગણી શકાય તેમ નથી. ૧૦૦ વર્ષથી પણ મોટી ઉંમરના એક વડીલ જણાવે છે, પોતાના વિસ્તારમાં અંગ્રેજ અમલદારોને શિકાર કરવામાં તેઓ મદદ કરતા હતા. તે સમયે અહીં ગાઢ જંગલ હતું. ધીરે ધીરે તે ખતમ થયું. કેટલેક સ્થળે તો આખી ને આખી ટેકરીઓને સ્થાને સપાટ ધરાતલ થઈ ગઈ.

વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?

ગૂજરાત વિધાપીઠની સ્થાપના કઈ રીતે થઈ એનો હું સાક્ષી છું. આરંભમાં ત્યાં થોડું ઘણું ભણાવવાનું કામ પણ મેં કર્યું છે. એ વખતે હું સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને રોજ અહીં ભણાવવા આવતો હતો. આવતી વખતે ચાલતો આવતો હતો, પરંતુ પાછા જતી વખતે દોડતો જતો હતો. ૪૫ મિનિટનો એક વર્ગ હું લેતો હતો. સાબરમતી આશ્રમમાં પણ …

Continue reading વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?

રામનામ શું તાળી રે લાગી .

વૈષ્ણવજન ભજનમાં આદર્શ મનુષ્યની વ્યાખ્યા કરી છે. આપણે જાણીએ છીએ કે આ ભજન ગાંધીજીના જીવનમાં મૂર્તિમંત થઈ ગયું હતું. એ પવિત્ર જીવનની યાદમાં આંખો ભરાઈ આવે છે. એમનું મૃત્યુ પણ કેવી સંધ્યાએ થયું ! પ્રાર્થનાની તૈયારીમાં હતા, એટલે કે એ સમયે એમના મનમાં ઈશ્વર સિવાયનો બીજો કોઈ વિચાર નહોતો.