યાત્રા-અધ્યયન-પ્રસાદી

ભૂદાન-યાત્રામાં મારું જે અધ્યયન ચાલ્યું, તેનું સ્વરૂપ સંગ્રહનું નહીં, દાનનું હતું. લોકહૃદયમાં પ્રવેશ માટે નિમિત્ત તે તે પ્રાંતની તે તે ભાષાના સાહિત્યનું અધ્યયન મારા પર લાદવામાં આવે, મતલબ એ કે પ્રેમથી તેને હું મારા પર લાદી દઉં છું. ઓરિસ્સાની ભૂદાન-યાત્રા વખતે ઉડિયા ભાષા શીખવાને નિમિત્તે ઉડિયાના ભક્ત શિરોમણિ જગન્નાથદાસ દ્વારા રચિત ભાગવતનું અધ્યયન કરવાનો મોકો મળ્યો. અધ્યયન હેતુ એમનો એકાદશ સ્કંધ અમે પસંદ કર્યો. યાત્રામાં જ અધવચ્ચે કલાક-અડધો કલાક રોકાઈને કોઈ ખેતરમાં એકાંતમાં બેસીને બધા યાત્રીઓ સહ-અધ્યયન કરતા.

સર્વોદય સેવક : શ્રી છગનભાઈ શાહ

શ્રી છગનભાઈ શાહનો જન્મ નવસારી તાલુકાના અષ્ટ ગામે તા. 8-7-1921ના રોજ થયો હતો. મૂળ નામ ડાહ્યાભાઈ, પણ છગનભાઈ નામ લોકજીભે બોલાતું રહ્યું. કૉલેજશિક્ષણ કાળમાં 1942ની ‘ક્વિટ ઇન્ડિયા - ભારત છોડો’ આંદોલનમાં મિત્રો સાથે ઝંપલાવ્યું હતું ને છ માસ કારાવાસ ભોગવ્યો હતો. ગુજરાતમાં 19થી 21 ફેબ્રુઆરી 1938માં હરિપુરા કૉંગ્રેસ સંમેલન મળ્યું હતું ત્યારે સ્વયંસેવક તરીકે સેવા …

Continue reading સર્વોદય સેવક : શ્રી છગનભાઈ શાહ

વેનલીડો -સ્વરક્ષણની પ્રાથમિક તાલીમ

તાલીમનું આયોજન શૈશવ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સર્ટિફીકેટ ધરાવતી બહેનો દ્વારા આ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ગ્રાસરૂટ પર કામ કરતી કોઈ બહેન, ગ્રામ્ય - શહેર વિસ્તારની કોઈપણ બહેન અને દીકરીઓથી માંડીને કોઈપણ સ્તરે કામ કરતી કોઈપણ બહેન અને દીકરીઓ માટે ઉપયોગી છે.

ખેડૂત આંદોલન : તીર્થનગરની યાત્રાએ

26 ડિસેમ્બર 2020ના દિવસે ભાઈ માઇકલ-દિલ્હીની સિંધુ સરહદે ગયો હતો. ત્યાંના વિગતે સમાચાર અને ફોટા તેણે મોબાઈલ પર આપ્યા છે.

ખેડૂત આંદોલનમાં ગુજરાતનો યુવાન…

દિલ્હીની સિંધુ બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને, આ લખાય છે ત્યાં સુધીમાં ચાર અઠવાડિયાંથી વધારે સમય થઈ ગયો છે. આ આંદોલનમાં દેશભરના ખેડૂતો જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં વિવિધ ખેડૂત સંગઠનો, કર્મશીલો પ્રત્યક્ષ દિલ્હી જઈને ખેડૂત આંદોલનમાં જોડાયા છે.

પુસ્તક સંસ્કારના અનોખા પ્રસારક : જયંત મેઘાણી

ગુજરાતના એક સ્નેહશીલ ગ્રંથવિદ્ અને મેઘાણી-સાહિત્ય માટેની અસાધારણ સંપાદકીય દૃષ્ટિ ધરાવનાર જયંત મેઘાણીએ 4 ડિસેમ્બર 2020ના રોજ મોડી સવારે 83 વર્ષની વયે ભાનગરના તેમના નિવાસસ્થાને આ દુનિયાની વિદાય લીધી. જયંતભાઈએ ઝકઝોળી દે તેવાં પુસ્તકો દ્વારા પિતા ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને વાચકો સમક્ષ મૂક્યું. આ રીતે પુસ્તકો તૈયાર કરવાનું, એટલે કે મેઘાણીસાહિત્યના સંપાદનનું, આગવી સૂઝથી કરેલું કામ તે જયંતભાઈનું ચિરંજીવી પ્રદાન છે. તેની ગુજરાતી વિવેચનમાં નહીંવત્ કદર થઈ છે.

ખેડૂત આંદોલન : એક અમાનવીય વિચાર સામેનો માનવીય પ્રતિકાર

સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરીને બે મહિના ચાલેલા કિસાન આંદોલનને પંજાબના થોડાક - મુઠ્ઠીભર અને મોટા ખેડૂતોના (બાલિશ કૃત્ય !) વિશાળ, અહિંસક અને મક્કમ આંદોલનને અવગણવામાં આવ્યું. આ બે મહિના સુધી ખેડૂતો રેલવેને પણ રોકીને બેસી ગયા. સરકારને તેની નોંધ લેવા જેવું તો ન જ લાગ્યું, ઉપરથી સામે ક્ધિનાખોરી રાખીને - સાન ઠેકાણે લાવી દેવાની હોય તેમ, માલગાડીઓની હેરફેર પણ બંધ કરી દીધી. આ સરકાર કઈ હદ સુધી નીચે ઊતરીને કાવતરું રચી શકે છે તેની આ કાંઈ પહેલી કે એકમાત્ર મિસાલ નથી.

વાડ જ ચીભડાં ગળે ?

શૂલપાણેશ્ર્વર અભયારણ્યની ફરતે આવેલા નર્મદા જિલ્લાનાં 121 ગામોના વિસ્તારને કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસાર ‘ઈકો સેન્સિટિવ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રદૂષણ કરતા ઉદ્યોગો આ વિસ્તારમાં આવે નહીં અને અભયારણ્યના રક્ષણ અને સંવર્ધન માટે આ જાહેરનામું સરકારને જરૂરી લાગ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં પેસા કાયદાઓ અને સામુદાયિક વન અધિકાર કાયદાઓનો સાચો અને પ્રભાવી અમલ કરવામાં આવે તો પ્રદૂષણ કરતા ઉદ્યોગો તો આ વિસ્તારમાં આવી જ ના શકે અને લોક ભાગીદારીથી અભયારણ્યનું રક્ષણ અને સંવર્ધન સારી રીતે થઈ શકે તેમાં કોઈ બે મત નથી. તો પછી ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાનું સાચું કારણ શું ?