16 February, 2021 BhoomiputraDownload

Learn from the experts: Create a successful blog with our brand new course
Are you new to blogging, and do you want step-by-step guidance on how to publish and grow your blog? Learn more about our new Blogging for Beginners course and get 50% off through December 10th.

જરા હળવાશથી લેજો!!!
અઠવાડિક કાર્ટૂન : ફેબ્રુઆરી ૨૦૨૧ (ત્રીજું)

જરા હળવાશથી લેજો!!!
અઠવાડિક કાર્ટૂન : ફેબ્રુઆરી ૨૦૨૧ (બીજું)

ભક્ત લક્ષણ
આમ જોવા જઈએ તો દુનિયામાં અનેક ભેદો છે, પરંતુ જડ, ચેતન અને પરમાત્મા, આ મુખ્ય ભેદ છે. તેના પણ અવાંતર-ભેદો છે. જડ એટલે તમામ અચેતન સૃષ્ટિ. સૃષ્ટિમાં પથ્થર, પાણી, વૃક્ષ, પહાડ એ બધા ભેદ છે. તો ઘડિયાળ, ખુરશી, ચશ્માં એ પણ ભેદ છે. એકનું કામ બીજી વસ્તુ નથી કરી શકતી તે રીતે ચેતન-ચેતનમાં પણ ભેદ છે. માણસ અલગ, ગધેડો અલગ. વળી મનુષ્ય મનુષ્યમાં પણ ભેદ છે. પરમેશ્ર્વર અને જડમાં ભેદ હોય છે તેમ પરમેશ્ર્વર અને ચેતનમાં પણ ભેદ છે. એવી રીતે કુલ પાંચ પ્રકારના ભેદ જણાય છે

સીરિયામાં આશાનાં બીજનાં અંકુર
2010માં અરબ દેશોમાં તાનાશાહી અને ભ્રષ્ટ સરકારો સામે જાહેરમાં બળવાઓ શરૂ થયા. લગભગ આ જ સમયમાં વર્ષ 2011માં સીરિયાના દક્ષિણમાં આવેલા દર્રા શહેરમાં બશર અલ-અસદ(રાષ્ટ્રપતિ) વિરુદ્ધ શરૂ થયેલાં જાહેર પ્રદર્શનો, તુરંત દામાસ્કસ, અલેપ્પો, યરમૂક, ઘૌટા વગેરે શહેરોમાં પણ ફેલાયાં. આ વિરોધ પ્રદર્શનમાં સવા કરોડની વસ્તીવાળા આ દેશમાંથી આશરે ચાળીસ લાખ લોકોએ ભાગ લીધો હતો.
ભૂમિપુત્ર : ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૧
01-February-2021-BhoomiputraDownload

નવી શિક્ષણનીતિ : હાંસિયામાં રહેલા લોકોના પ્રશ્નો
34 વર્ષે જૂની શિક્ષણનીતિને બાજુએ મૂકીને હવે નવી શિક્ષણ- નીતિને અમલમાં લાવવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે. દેશ આખાનાં આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રોમાં ખાનગીકરણનું આધિપત્ય છે, તે હવે શિક્ષણક્ષેત્રમાં પણ વધુ ને વધુ પગપેસારો કરતું જાય છે. આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી 50,000 સંસ્થાઓ છે. તેમાં 3 કરોડ, 50 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. સમાનતાની વાતો ભલે થતી રહે, હકીકત એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ.આઈ.ટી.માંથી 2400 વિદ્યાર્થીઓ ખરી પડ્યાં તેમાંનાં લગભગ અડધોઅડધ વિદ્યાર્થીઓ દલિત તેમજ આદિવાસી હતાં.

ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર
2020નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોનાં મૉત થયાં. અનેક દેશોનાં અર્થતંત્રોને મોટી અસર થઈ. બેકારી અને ગરીબીમાં વધારો થયો. જો કે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી. મહામારીના પ્રથમ તબક્કામાં એક અંદાજ મુજબ વિશ્ર્વનાં 90 ટકા એટલે કે 1.5 અબજ બાળકો વર્ગખંડના શિક્ષણથી વંચિત રહ્યાં. ઓનલાઈન શિક્ષણની સુવિધા બધાં બાળકો સુધી પહોંચી નથી. દુનિયાનાં 46.3 કરોડ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણની સગવડ નથી. નવેમ્બર 2020 સુધીમાં વિશ્વના 60 કરોડ બાળકોને શિક્ષણથી દૂર રહેવું પડ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના એક અભ્યાસ મુજબ મહાનગર અમદાવાદનાં 30 ટકા બાળકો સુધી છેલ્લા નવ મહિનાથી કોઈ પણ પ્રકારનું શિક્ષણ પહોંચ્યું નથી.

ગાંધી એકસો એકાવનમાં પ્રવેશે કશ્મીર : કરુણાક્ષેત્ર – પ્રેમક્ષેત્રનો પાવન પ્રયોગ
પીરપાંજાલને પગે ઓળંગીને 80 દિવસની પદયાત્રા કરતા મહર્ષિ વિનોબા અને એમની વાણી : "મૈં તુમ્હારા ધર્મ ક્યા હૈ, યહ નહીં જાનના ચાહતા, તુમ્હારે ખયાલાત કયા હૈ, યહ ભી નહીં જાનના ચાહતા, સિર્ફ યહી જાનના ચાહતા હૂં કિ તુમ્હારે દુ:ખ ક્યા હૈ, ઉન્હેં દૂર કરને મેં મદદ કરના ચાહતા હૂં. આ વાતને આપણે આપણા કશ્મીર કામનો મંત્ર બનાવીને ચાલી નીકળીએ છીએ "નેહ કશ્મીરી-નેહ કશ્મીરની તીર્થયાત્રા પર...

હમ દેખેંગે યા હમ દેખ લેંગે ?
2019-20 વર્ષમાં CAA અને NRCની સૂચિત નીતિ-પ્રક્રિયાના વિરોધમાં સમગ્ર દેશમાં આંદોલન-ધરણાં-પ્રદર્શનો થયાં. તે દરેકમાં ‘હમ દેખેંગે’ ગીત મહત્ત્વનું બન્યું. ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને સતત ગવાતું રહ્યું. ગયા વર્ષે ભૂમિપુત્રના જાન્યુઆરીના અંકમાં અંગ્રેજી મહિનાના નવા વર્ષની શુભેચ્છાઓ રૂપે ફૈઝ અહમદ ફૈઝની ‘હમ દેખેંગે’ નઝ્મ દ્વારા આપી. આપણા વાચકો સહિત દેશભરમાં ઘણા લોકોને આ રચના હિન્દુ વિરોધી લાગી તો કેટલાકને ઇસ્લામની તરફેણ કરનારી લાગી. આઈઆઈટી કાનપુરમાં તો આ અંગેની તપાસ કરવા એક સમિતિ પણ બની.