વિનોબા-125 ફેલોશીપ

ગાંધી-વિનોબા-જયપ્રકાશના વિચારોમાં શ્રદ્ધા રાખી ગ્રામ-નિવાસ કરીને ગ્રામવિકાસ માટે મથનારા, સજીવ ખેતીના પ્રયોગો અને પ્રસાર કરનારા તથા નિસર્ગોપચારના કાર્યકરોને માટે વડોદરાસ્થિત વિનોબા આશ્રમ દ્વારા વિનોબા ભાવેની 125મી જન્મ જયંતી નિમિત્તે કેટલીક ફેલોશીપ જાહેર કરવામાં આવે છે. ફેલોશીપની રકમ કાર્યકર પોતાના જીવન-નિર્વાહ, તાલીમ, શૈક્ષણિક પ્રવાસ કે પોતાના સંસ્થાગત કે પ્રવૃત્તિના ખર્ચ માટે વાપરી શકશે. ફેલોશીપ લેનાર કાર્યકર …

Continue reading વિનોબા-125 ફેલોશીપ

સ્વરોજગાર યોજના

આપણામાંનો એક મોટો વર્ગ એવો છે જેઓ કોરોના છતાં પ્રમાણમાં આરામદાયક જિંદગી જીવી રહ્યા છીએ. આવો, જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે તેવા આપણા બાંધવોને થોડો ટેકો કરીએ, એમના વિકાસમાં સહભાગી થવાનો આનંદ લઈએ. જેટલો વધુ ફાળો ભેગો કરી શકીશું તેટલા વધુ ભાઈ-બહેનોને સ્વરોજગાર મેળવવામાં નિમિત્ત બની શકીશું. સૌ મિત્રોને ઈજન છે, આ શુભકાર્યમાં જોડાવાનું. આપનો ફાળો ગુજરાત સર્વોદય મંડળના નામે મોકલવા વિનંતી છે.

સ્વરોજગાર યોજના માટે જાહેર અપીલ

માર્ચ ૨૦૨૦ થી શરૂ થયેલ અસાધારણ પરિસ્થિતિની સૌથી વધુ અસર શ્રમજીવી ગરીબ લોકોને થાય તે સ્વાભાવિક જ છે. પ્રથમ હજ્ઞભસમજ્ઞૂક્ષ ના અંત પછી આપણે કદી ન જોયાં હોય તેવાં સ્થળાંતર જોયાં છે. વિશ્ર્વની ને દેશની આર્થિક સ્થિતિ વકરતી જાય છે, કોઈ ચોક્કસ માહિતીના અભાવમાં અનિશ્ર્ચિતતા પણ ખૂબ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બહાર મજૂરી કરવા જતા …

Continue reading સ્વરોજગાર યોજના માટે જાહેર અપીલ