સીરિયામાં આશાનાં બીજનાં અંકુર

2010માં અરબ દેશોમાં તાનાશાહી અને ભ્રષ્ટ સરકારો સામે જાહેરમાં બળવાઓ શરૂ થયા. લગભગ આ જ સમયમાં વર્ષ 2011માં સીરિયાના દક્ષિણમાં આવેલા દર્રા શહેરમાં બશર અલ-અસદ(રાષ્ટ્રપતિ) વિરુદ્ધ શરૂ થયેલાં જાહેર પ્રદર્શનો, તુરંત દામાસ્કસ, અલેપ્પો, યરમૂક, ઘૌટા વગેરે શહેરોમાં પણ ફેલાયાં. આ વિરોધ પ્રદર્શનમાં સવા કરોડની વસ્તીવાળા આ દેશમાંથી આશરે ચાળીસ લાખ લોકોએ ભાગ લીધો હતો.

ખેડૂત આંદોલન : તીર્થનગરની યાત્રાએ

26 ડિસેમ્બર 2020ના દિવસે ભાઈ માઇકલ-દિલ્હીની સિંધુ સરહદે ગયો હતો. ત્યાંના વિગતે સમાચાર અને ફોટા તેણે મોબાઈલ પર આપ્યા છે.

થાઈલેન્ડમાં લોકશાહી માટેનું વિદ્યાર્થી આંદોલન

આ વર્ષના જૂન મહિનાથી થાઈલેન્ડની કૉલેજો અને હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળી પડ્યા છે. તેઓ ભૂતપૂર્વ જનરલ તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી પ્રયુત ચાન ઓચાના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. હંગર ગેમ્સ તેમજ હેરી પોટરનાં પાત્રો પરથી ત્રણ આંગળીઓની સલામ અથવા જાદુઈ લાકડી, સફેદ રીબીનનો ઉપયોગ વિદ્યાર્થીઓ મિલિટ્રી તેમજ રાજાની સરમુખત્યારશાહીના વિરોધમાં કરી રહ્યા છે.

લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

નર્મદા જિલ્લાના જાણીતા કાર્યકર લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટાઉદેપુર અને વડોદરા એમ પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યા છે. લખનભાઈ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયાવિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઊલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. માત્ર પોલીસ દ્વારા થયેલી …

Continue reading લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

Black Lives Matter : અશ્વેતોના સામાજિક ન્યાય માટે વ્યાપ્ત થતું આંદોલન

સંયુક્ત રાજ્ય અમેરિકા (યુ.એસ.એ.)માં ૧૫૦ વર્ષ પહેલાં કાયદાથી અશ્ર્વેત (આફ્રિકન અમેરિકન) લેાકોની ગુલામીનો અંત આવ્યો તેને ગેરકાયદેસર ઠેરવવામાં આવી. તેમ છતાં, આજે પણ વર્ણભેદ, અશ્વેતો પ્રત્યેના ગંભીર પૂર્વગ્રહ તથા તેમને થતા અન્યાયનો સામનો દેશ આખામાં આ સાથીઓને કરવો પડે છે. આંકડાઓ બતાવે છે કે શ્વેત અમેરિકનો પોલીસની ગોળીએ મરે તેના કરતાં અશ્વેતો પોલીસની ગોળીએ માર્યા …

Continue reading Black Lives Matter : અશ્વેતોના સામાજિક ન્યાય માટે વ્યાપ્ત થતું આંદોલન

હિંદ સ્વરાજના અદના સૈનિક

Lakhanbhai સમાજે, આ વ્યવસ્થાએ વ્યક્તિ, કુટુંબ, સંસ્થા માટે ચોક્કસ માળખાં બનાવ્યાં  છે અને તેની અપેક્ષા એવી રહે છે કે બધું તે પ્રમાણે જ ચાલતું રહે. આ વ્યવસ્થા એક વર્ગ, મોટા ભાગે પૈસાદાર અને ઉપલા મધ્યમ વર્ગ માટે તો ઉપર ઉપરથી ખૂબ સારી દેખાય છે. પરંતુ આ વ્યવસ્થામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગને ભાગે અન્યાય તેમજ સહન …

Continue reading હિંદ સ્વરાજના અદના સૈનિક

આદિવાસી કરે સવાલ : આત્મનિર્ભર બનવા ખેતી કે પ્રવાસન?

વિશ્વમાં - ખાસ કરીને ત્રીજા વિશ્વમાં - વિકાસનું સ્વરૂપ અને માળખું એવું જોવા મળે છે કે નિષ્ણાત ડિઝાઇન-નકશો બનાવે, સરકાર તેનો અમલ કરે, વહીવટ તંત્ર તેનું વ્યવસ્થાપન કરે, બળુકા તેનો લાભ લે અને ગરીબ / મેહનત કરનાર તેની કિંમત ચૂકવે. આ હકીકત ગયા 70 કહો કે 200 વર્ષની વાસ્તવિકતા રહી છે પછી તે ખાણ હોય, …

Continue reading આદિવાસી કરે સવાલ : આત્મનિર્ભર બનવા ખેતી કે પ્રવાસન?