દિવ્ય શક્તિ માતાજી : ‘આપણે તો શાશ્વતીમાં જીવીએ છીએ’

શ્રી માતાજી અને શ્રી અરવિંદનું મોટાભાગનું લખાણ અંગ્રેજી ભાષામાં છે. જ્યારે તેમના લખાણો અન્ય ભાષામાં અનુવાદ કરવાનાં હોય ત્યારે માત્ર બે ભાષા જાણવાથી કામ ચાલતું નથી. તેમના દર્શનને સમજવા માટે લેખકે પોતાની ચેતનામાં એક નવી દિશા તરફનો ઉઘાડ પણ કરવો પડે છે. એક યોગીના શબ્દને સમજવા માટે તેમાં રહેલા વ્યાપક સત્યની ઝલક પામવા માટે એક આરોહણ કરવું પડે. ક્યારેક તો એમ લાગે કે લેખક અનુવાદકથી આગળ વધીને રૂપાંતર પામેલી ચેતના બની જાય છે.

મીરાંનો મર્યાદાશ્રેષ્ઠ વિદ્રોહ

મીરાં શાશ્ર્વત નારીનું પ્રતીક છે. મીરાં સનાતન ભારતીય નારીની કથા છે. મીરાંના જીવનના પ્રત્યેક ડગલે ને પગલે સંઘર્ષની વાર્તા છે. મીરાંએ પોતાના અભીષ્ટ કર્તવ્ય માટે પેાતાના દૃઢ સંકલ્પ બળે આવનારી બધી જ વિપરીત વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અને તત્કાલીન સમાજ સામે એણે પોતાનું તેજસ્વી વિદ્રોહિણી સ્વરૂપ દેખાડેલું

મકરન્દ દવેનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય

શ્રી મકરન્દ દવેને આપણે ત્યાં અધ્યાત્મના પથના કવિ સાધક માનવામાં આવે છે. અધ્યાત્મમાં આત્મતત્ત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારવામાં આવે છે. તે સિદ્ધાંત અધ્યાત્મનો પાયો છે. આ અંતિમ તત્ત્વના સ્વરૂપ અને સંખ્યાની મીમાંસા કરનારી તત્ત્વજ્ઞાનની શાખાને તત્ત્વમીમાંસા કહે છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે.

ધ્યાનનાં ત્રણ પગથિયાં

ધ્યાનનો પ્રદેશ એટલો વિસ્તૃત અને વિવિધ છે કે તેનું પૂરેપૂરું વર્ણન થઈ ન શકે. મનને શૂન્ય કરી નાખવાથી માંડી કોઈ ઈષ્ટ રૂપમાં સ્થિર કરવા સુધી ધ્યાનના પ્રકાર છે ને એની અનેકવિધ રીતો છે. મનના જે કાંઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે તે સજાગપણે ને નિર્લેપભાવે જોયા કરવાનું કોઈ કહે છે, તો કોઈ એનું નિયંત્રણ કરવાનો ઉપદેશ આપે છે. …

Continue reading ધ્યાનનાં ત્રણ પગથિયાં

સત્ય, ધર્મ અને શાસન

ભારતને વૈચારિક ક્રાંતિઓની ટેવ પડી ગઈ છે. ભક્તિ અને સૂફીની ક્રાંતિ ઈ.સ.ના આઠમાથી પંદરમા સૈકાની - અને તે રીતે તાજેતરની છે. પરંતુ વૈદિક કાળમાં પ્રચલિત બનેલા ‘ધર્મ’ના વિચાર સામે એક ક્રાંતિરૂપે ઉપનિષદો પ્રગટ્યાં. એમ મનાય છે કે ઈ.સ. પૂર્વે 800થી ઈ.સ. પૂર્વે 300ના લગભગ 500 વર્ષના ગાળામાં અનેક ઋષિ કે મુનિ થઈ ગયા. આશ્રમો બન્યા, …

Continue reading સત્ય, ધર્મ અને શાસન