ખેડૂત આંદોલન : આમૂલ પરિવર્તનનો પ્રયાસ

કિસાન આંદોલન કોઈ સામાન્ય ઘટના નથી. તેને માટે વપરાયેલાં વિશેષણો માત્ર બળાપો દર્શાવનારાં સાબિત થયાં છે. ‘ખાલીસ્તાની’, ‘મુઠ્ઠીભર લોકો’, ‘રાજકીય પક્ષોનું કાવતરું’, ‘અણસમજુઓની ચઢવણી’ વગેરેથી માંડી એક અભિનેત્રીએ ‘સો-સો રૂપિયાવાળી સ્ત્રીઓ’ કહીને બેશરમીની તમામ હદો વટાવી દીધી છે ! આ સમગ્ર લડતનાં કારણો, પદ્ધતિ અને એકંદર પરિસ્થિતિ સાથે શાસન, પત્રકારત્વ, અર્થકારણ અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનાં અનેક પાસાં નજરે ચઢે છે. પણ આ બધા ઉપર આવતા પહેલાં થોડોક ઇતિહાસ તપાસીએ.

‘ઇકો સેન્સિટિવ ઝોન’ના નામે પર્યટન વિકાસ

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય MoEF, દિલ્હીએ ભારતમાં કુલ 553 વન્યજીવ અભયારણ્યોમાંથી 275ની આસપાસ ઈકો સેન્સિટિવ ઝોન બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. આમાંથી 215 ઈકો સેન્સિટિવ ઝોનના ભારતીય રાજપત્ર દ્વારા જાહેરનામાં બહાર પડ્યાં છે, જેમાંનાં 183 કાચા ખરડાના સ્વરૂપે છે. અને 32 અંતિમ ખરડાના સ્વરૂપે છે.

આ ગ્રેટા થનબર્ગ કોણ છે?

સોમવારને ર૦ ઓગસ્ટ, ૨૦૧૮નો દિવસ. સ્વીડનમાં શાળાના નવા સત્રનો પ્રથમ દિવસ. બધા બાળકો શાળાએ જઈ રહ્યાં હતાં. પરંતુ બે ચોટલાવાળી એક ગોળમટોળ છોકરી રાજધાની સ્ટૉક હોમના સંસદ ભવનની દિવાલને ટેકે બેઠી કોઈ મુદ્દે ધરણાં કરી રહી છે. પાસે દફતર પડેલું છે. છોકરીનાં હાથમાં એક પોસ્ટર છે. તેમાં લેટિનમાં મોટા અક્ષરે લખેલું છે કે “જળવાયુ (પરિવર્તન)ને મુદ્દે શાળામાં હડતાળ.'

‘ઇકો સેન્સિટિવ ઝોન’નો વિકાસ કે વિનાશ ?

શૂલપાણેશ્ર્વર અભયારણ્ય વિસ્તારમાં ’ઇકો સેન્સિટિવ ઝોન’ના જાહેરનામાને ધ્યાનમાં લઈને સરકારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્ર્વર તાલુકાનાં 12 ગામોની તમામ જમીનો એટલે કે ખાતેદારની જમીન,ગામનું ગોચર - જંગલ- જંગલ ગોચર-પડતર-ખરાબા વગેરેની તમામ જમીનોના સર્વે નંબરોમાં હક્ક ફેરફારની પાકી નોંધ તા:21-12-2020ના રોજ પાડી દીધી.

કિસાન-મોદીજી સંવાદ

(ખેડૂતોના સવાલો પર કાલ્પનિક મોદી-ખેડૂત સંવાદ. ખેડૂત મોદીજીને મળીને આ બધું પૂછવા માગે છે...) તમે પણ આ સંવાદમાં જોડાવ.....

કિસાન આંદોલન : દેશની કાયાપલટ કરવાનું પ્રથમ પગલું

આ લેખ લખું છું ત્યારે આજે છે - કિસાન દિવસ. એક વખતના વડાપ્રધાન તેમજ કિસાન નેતા ચૌધરી ચરણશિંગનો જન્મદિવસ 23 ડિસેમ્બર 1902, 29મે 1987ના રોજ તેમની પુણ્યતિથિ. અન્નદાતાની અસ્મિતાને ઓળખીને સન્માન આપવાનો આજે દિવસ છે. દેશમાં ચાલતા કિસાન આંદોલનનો આજે 28મો દિવસ છે. આંદોલન દરમ્યાન 40 ઉપરાંત કિસાનો મૃત્યુ પામ્યા છે, તેથી કિસાનો આજે શહીદ દિવસ ગણીને એક ટંકનું ભોજન છોડવાના છે. આંદોલનને ટેકો આપનારા પણ ભોજન છોડી રહ્યા છે.

ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા સાથે જોડાયેલી બાબતોની ટૂંકી સમજણ

કાયદાના સંભવિત ફાયદા અને નુકસાન બાબતે ભારે પ્રચાર યુદ્ધ ચાલે છે. વોટ્સએપ પર ચાલતા સામાન્ય રીતે આધાર વિનાના સમાચારોના કોલાહલમાં જરા શાંત ચિત્તે વાતને સમજવાની જરૂર છે. અત્રે સવાલ-જવાબ રૂપે રજૂ થયેલી વિગતોને આધારે વાચક પોતાના અભિપ્રાય બાંધે તો આ પ્રયાસ લેખે લાગશે.

બાડીપડવાની દુર્ઘટનાની આસપાસ

ઘોઘા અને ભાવનગર તાલુકાનાં 12થી વધુ ગામોમાં ભૂતળમાં રહેલ કોલસાના ખનન માટે સરકારના ખાણ ખનીજ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિ.એ વિભાગે વર્ષ : 1995થી પદ્ધતિસર પર્યાવરણીય અભ્યાસો કર્યા વગર તબક્કાવાર જમીન સંપાદન કરી છે. અને લોકોની આજીવિકાની પરવા કર્યા વગર લોકોના વિરોધ વચ્ચે ખનનની કામગીરી ચાલુ રાખી છે.

કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?

તાજેતરમાં સંસદે પસાર કરેલા વિવાદાસ્પદ કૃષિ સંબંધી ખરડાઓ રાષ્ટ્રપતિની સહી સાથે કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે. ખેડૂતોનો આ અંગેનો વિરોધ વિવિધ સ્વરૂપે ચાલુ છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતાના તરફથી આ અંગે તરફેણના અને વિરોધના મુદ્દાઓ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત નાગરિક તરીકે આ વિષય સાથે જોડાયેલાં …

Continue reading કરાર આધારિત ખેતી કુદરતી સંસાધનો પર કેવી અસર કરશે ?