અંતરનો અવાજ

"અંતરનો અવાજ વળી શું છે ? એ "સત્યરૂપી ઈશ્ર્વરનો અવાજ છે, પરિશુદ્ધ બુદ્ધિ, અંત:પ્રેરણા, અંત:કરણનો અવાજ છે. પ્રત્યેક વ્યક્તિના દિલમાં એ અવાજ ઊઠે છે પરંતુ એ સાંભળવાની શક્તિ પ્રત્યેક વ્યક્તિ પાસે હોતી નથી. "સત્યની ઈશ્ર્વર તરીકે વ્યક્તિગત રીતે ખોજ કરવાની ઇચ્છા રાખનારાઓએ કેટલાંક વ્રતોના પાલનની પ્રતિજ્ઞા લેવી જોઈએ. દા.ત., સત્યનું વ્રત, બ્રહ્મચર્યનું વ્રત - કેમ કે, સત્ય માટેના અને ઈશ્ર્વર માટેના પોતાના પ્રેમનો સહભાગી માણસ બીજી કોઈ પણ વસ્તુને કરી શકે નહીં - અહિંસાનું વ્રત, ગરીબાઈનું વ્રત અને અપરિગ્રહનું વ્રત આ પાંચ વ્રતોના પાલન વિના કોઈએ પણ એ પ્રયોગ આદરવો ન જ જોઈએ.

વુહાનના ડૉક્ટરની વાત, ગાંધીના પ્રયત્નોની યાદ અપાવે છે…

ચીનમાં વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઇરસની કોઈને જાણ નહોતી ત્યારે 30 ડિસેમ્બરે લિ વેનલિઆંગે લોકોને જાણ કરી હતી. ત્યારબાદ વુહાન પોલીસે અફવા ફેલાવવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. લિ વેનલિઆંગ દરદીઓની સેવા કરતા છેવટે કોરોનાગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા. મરણ પથારી પરથી તેમણે કહેલી વાતો ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીને ગાંધીજીની યાદ અપાવે છે. જે આજના સમય માટે ખૂબ મહત્ત્વની છે.

ગાંધીજીનો અંતિમ જન્મદિવસ કેવો હતો ?

ઓક્ટોબર ૧૯૪૭ની બીજી તારીખ, ગાંધીજીનો જન્મ-દિવસ એમના જીવનકાળમાં ઉજવવામાં આવનાર છેલ્લો જન્મદિવસ હતો. સવારે પરોઢ થતાં જ તેમના સાથીઓ તેમનું અભિવાદન કરવા આવી પહોચ્યા. તેમાથી એક જણાએ કહ્યું, ’બાપુજી, અમે અમારા જન્મ-દિવસે બીજા લોકોને વંદન કરીને કરીને આશીર્વાદ લઈએ છીએ, પણ તમારી બાબતમાં વાત એકદમ ઉંધી થાય છે. શું આ યોગ્ય છે?’

મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પૂછ્યું, 'શું તમે ખરેખર "આત્મનિર્ભરતા" વિશે વાત કરી રહ્યા છો?' ગાંધીજી : શું મેં આ સાચું સાંભળ્યું છે ? ૨૪મી એપ્રિલે તમે કહ્યું કે, “કોવિડ ૧૯ની આપત્તિમાંથી જે બોધપાઠ આપણે શીખ્યા છીએ તેમાં આપણે આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવાનું છે... અને આ વાત તમે તમારા ૧૨ મેના એક ભાષણમાં કહી હતી ? વડાપ્રધાન : …

Continue reading મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

ગાંધીજીના અંતેવાસી મીરાબેનની નજરે બાલાકોટ

૧૯૩૯ની વસંત ઋતુની વાત છે. ગાંધીજીએ મીરાબહેનને ફ્રંટિયર પ્રોવીન્સ મોકલ્યા. તેમનો હેતુ એ વિસ્તારમાં ચરખા કાંતણ અને વણાટના પ્રસારનો હતો .એ યાત્રા દરમ્યાન મીરાબહેન એબટાબાદ(જ્યાં અમેરિકના નેવી સિલ્સે ઓસામા બિન લાદેનને માર્યો હતો)ના રસ્તે બાલાકોટ ગયા હતા. મીરાબહેન પોતાની ડાયરીમાં એ યાત્રાનું વર્ણન કર્યું છે.

ગાંધીજી પાસેથી શીખવા જેવી કળા : મતભેદ કેવી રીતે દૂર કરવા

માણસો માટે મતભેદ અનિર્વાય અને સ્વાભાવિક છે. વિચારોની વિભિન્નતા અને મતભેદનો ઉકેલ લાવવાથી માનવજાતિનો વિકાસ થયો છે. એટલેજ આજકાલ જ્યારે કેટલાક લોકો મતભેદને લીધે બીજાને મારવા પર ઉતરી જાય ત્યારે આપણે ચિંતા કરીએ છીએ. સોશિયલ મીડિયા પર જે મતભેદોને લઈને જે ક્રૂરતા ફેલાઈ છે તેની યાત્રા ભલે નવી લાગતી હોય પણ આ સમસ્યા જૂની છે.

ભારતમાતાની જય એટલે કોની જય!

છેલ્લા ઘણા સમયથી દેશ ભરમાં ભારતમાતા અને તેની જય બોલવા-બોલાવા અંગે સતત વાદ-વિવાદ ચાલ્યાં કરે છે. ભારતમાતાને આજે જુદાં સંદર્ભ સાથે જોવામાં આવે છે; ત્યારે ભારતમાતાની વધુ વ્યાપક સમજ અને વ્યાખ્યા નહેરુ આપણી સામે 'મારું હિંદનું દર્શન' પુસ્તકમાં રજૂ કરે છે.

ગાંધીજીને ‘શિકારી’ કેમ કહેવામાં આવ્યા?

કેવા કેવા માણસોને ગાંધીએ ખેંચ્યા ! જ્યાં પહોંચ્યા, જ્યાં સત્યાગ્રહો કર્યા ત્યાં ગાંધીએ પર્સનલ લવ અને ઇમપર્સનલ લવ બંને, માણસોના સંબંધોમાં ભરપૂર રેડ્યો છે. પર્સનલ લવ ઉષ્મા આપે અને ઇમપર્સનલ લવ પ્રકાશ આપે. કૅલેનબેક, પોલાક, ઍન્ડ્રુઝ, સરદાર, નહેરુ, મહાદેવભાઈ, વિનોબા, જમનાલાલજી તથા ગાંધીજીના અક્ષરદેહના 100 ખંડોમાં ફેલાયેલા પત્રોમાં તથા મહાદેવભાઈની ડાયરીમાં વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં આ જોવા મળે છે.

ગાંધીજી અને સામ્યવાદ (2)

બે નિષ્ઠાઓ ગુણવિકાસ અને સમાજરચના આ બે એકાંતિક નિષ્ઠાઓ પુરાણ કાળથી હજુ સુધી ચાલુ જ છે. ગુણવિકાસવાદી કહે છે : "ગુણોને લઈને જ આ જગત ચાલે છે. માણસનું જીવન પણ આવું જ ગુણપ્રેરિત છે. ગુણોનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ સમાજનું ઘડતર સહેજે બદલાતું જાય છે. માટે સજ્જનોએ પોતાનું બધું લક્ષ ગુણવિકાસ પર …

Continue reading ગાંધીજી અને સામ્યવાદ (2)

રેલવે અને રોગચાળો – ગાંધીજી શું કહે છે?

ગાંધીજી કહે છે, "રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગો આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' - સૂતક - આપણે પહેલાં પાળતા. રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે. જ્યાં મોંઘવારી હોય ત્યાં અનાજ તણાઈ જાય છે, લોકો બેદરકાર બને છે અને તેથી દુકાળનું દુઃખ વધે છે."