ભક્ત લક્ષણ

આમ જોવા જઈએ તો દુનિયામાં અનેક ભેદો છે, પરંતુ જડ, ચેતન અને પરમાત્મા, આ મુખ્ય ભેદ છે. તેના પણ અવાંતર-ભેદો છે. જડ એટલે તમામ અચેતન સૃષ્ટિ. સૃષ્ટિમાં પથ્થર, પાણી, વૃક્ષ, પહાડ એ બધા ભેદ છે. તો ઘડિયાળ, ખુરશી, ચશ્માં એ પણ ભેદ છે. એકનું કામ બીજી વસ્તુ નથી કરી શકતી તે રીતે ચેતન-ચેતનમાં પણ ભેદ છે. માણસ અલગ, ગધેડો અલગ. વળી મનુષ્ય મનુષ્યમાં પણ ભેદ છે. પરમેશ્ર્વર અને જડમાં ભેદ હોય છે તેમ પરમેશ્ર્વર અને ચેતનમાં પણ ભેદ છે. એવી રીતે કુલ પાંચ પ્રકારના ભેદ જણાય છે

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં – ભાગ 16

વિનોબાજીએ 28-4-1952ના રોજ દેશવાસીઓને અપીલ કરતી નોંધ લખી હતી જે 17-5-52માં હરિજનબંધુમાં પ્રગટ થઈ હતી. વિનોબાજી લખે છે - ગાંધીજીના નિર્વાણ પછી અહિંસાના પ્રવેશને માટે હું રસ્તો ખોળી રહ્યો હતો. મેઓ મુસલમાનોને વસાવવાનો સવાલ આ જ વિચારથી મેં હાથમાં લીધો હતો. તેમાં થોડો અનુભવ મળ્યો. તે જ આધાર પર મેં તેલંગણામાં જવાનું સાહસ કર્યું. ત્યાં મને ભૂદાનયજ્ઞના રૂપમાં અહિંસાનો આવિર્ભાવ થયેલો જોવા મળ્યો.

યાત્રા-અધ્યયન-પ્રસાદી

ભૂદાન-યાત્રામાં મારું જે અધ્યયન ચાલ્યું, તેનું સ્વરૂપ સંગ્રહનું નહીં, દાનનું હતું. લોકહૃદયમાં પ્રવેશ માટે નિમિત્ત તે તે પ્રાંતની તે તે ભાષાના સાહિત્યનું અધ્યયન મારા પર લાદવામાં આવે, મતલબ એ કે પ્રેમથી તેને હું મારા પર લાદી દઉં છું. ઓરિસ્સાની ભૂદાન-યાત્રા વખતે ઉડિયા ભાષા શીખવાને નિમિત્તે ઉડિયાના ભક્ત શિરોમણિ જગન્નાથદાસ દ્વારા રચિત ભાગવતનું અધ્યયન કરવાનો મોકો મળ્યો. અધ્યયન હેતુ એમનો એકાદશ સ્કંધ અમે પસંદ કર્યો. યાત્રામાં જ અધવચ્ચે કલાક-અડધો કલાક રોકાઈને કોઈ ખેતરમાં એકાંતમાં બેસીને બધા યાત્રીઓ સહ-અધ્યયન કરતા.

માનવતાની ઉપાસના

ઉપાસના એટલે ‘માનવતા પ્લસ (+) કંઈક’ હશે. ઉપાસના એટલે ‘માનવતા માઈનસ (ઓછા) કંઈક’ એવું ન હોવું જોઈએ. આજકાલ તો એવું છે કે હિંદુ એટલે માનવતાથી કંઈક ઓછું અને મુસ્લિમ એટલે માનવતાથી કંઈક ઓછું; પરંતુ થવું તો એવું જોઈઅ કે માનવતા વધતા કંઈક એટલે હિંદુ, માનવતા વધતા કંઈક એટલે મુસલમાન, માનવતા વધતા કંઈક અટલે ઈસાઈ. આવું થશે ત્યારે ઉપાસના-ભેદ, દાર્શનિક-ભેદ રહેશે પરંતુ તે ગૌણ હશે. રીત-રિવાજોના ભેદ તો સાવ જ સ્થ્ૂળ ગણવાના છે. તેથી ગૌણ છે.

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-15)

આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે ગાંધીજીની હત્યા બાદ સેવાગ્રામમાં 11 થી 15 માર્ચ 1948માં મળેલ સંમેલન અંગેની વિગતો નોંધી હતી. દેશભરમાંથી આવેલા 500 જેટલા કાર્યકરોને વિનોબાજીએ માર્ગદર્શન આપ્યું હતું. સામૂહિક સ્તરે વિચારમંથન પણ સારા એવા પ્રમાણમાં થયું હતું.

ભારત છોડો આંદોલન

ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ ત્યારથી શાળાઓમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે, તે અમે પણ ભણ્યા હતા. મારું મન કહ્યા કરતું હતું, કે આ અંગ્રેજો ભણાવે છે તે ઇતિહાસ ક્યાં સુધી ભણતા રહીશું ? આપણે પોતે કોઈ ઇતિહાસ રચીશું કે નહીં ? જો કે ‘ભારત છોડો’ આંદોલન - 1940થી 1945 દરમિયાન - દ્વારા આપણે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે.

મોટાં શહેરો હવે તૂટવાં જોઈએ

આ જે ચૂંટણી થાય છે, તેનો પોતાનો અલગ ધર્મ-વિચાર છે. તેમના 3 સિદ્ધાંત છે : આત્મસ્તુતિ, પરનિંદા અને મિથ્યાભાષણ. અગર ગામમાં આને લઈને ફૂટ પડી, તો કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જશે. આગ લગાવવી બહુ સહેલી છે, પરંતુ આગ બુઝાવવી બહુ કઠણ. ભાગવતમાં એક વાર્તા છે કે ગોકુળમાં આગ લાગી, તો ભગવાન અગ્નિ પી ગયા. અહીં તો આગ લગાડનારા ખૂબ છે. ચૂંટણી ટાણે તેઓ ગામેગામ ફરશે અને આગ લગાવશે. પછીથી એ ગામનું શું થશે તે નહીં વિચારે.

પ્રેમની રીત સર્વ સેવા

આમ નાગરિકો અને ગ્રામજનોના જીવનમાં ફરક છે. શહેર-વાસીઓએ એવું નક્કી કરવું જોઈએ કે વ્યાયામ માટે ઉત્પાદકીય શરીર-પરિશ્રમ કરે. ઉત્પાદન સિવાયના વ્યાયામને અમીરી કામ, ઈજ્જતનું કામ ગણવામાં આવે છે. પણ વિચારવા જેવું છે કે જો આપણે ઉત્પાદકીય શરીર પરિશ્રમ કરીશું તેથી મજૂર કહેવાશું, તો તેનાથી શું બગડશે ? પરંતુ મજૂરો વિશે એટલી ઘૃણા છે કે તેમનું નામ સુધ્ધાં લેવાનું પસંદ નથી કરતા. જે કામ કરે છે તેને નીચા માનીએ છીએ. જે ગંદકી કરશે, તે ‘નાગરિક’ કહેવાશે અને જે સાફ કરશે તે ‘અછૂત’ કહેવાશે ! આ વૃત્તિ નાગરિક છોડે અને ગ્રામજનોના સેવક બને.

ધૈર્યના મહાભેરુ સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર હાડ-માંસે ખેડૂત હતા. જો કે તેઓ વકીલ હતા. રાજનીતિ-ચતુરોના દાવપેચ રમી શકતા હતા. આમ છતાં પણ છેલ્લે સુધી ગામડિયા જ રહ્યા. ગામડિયાની જેમ ખરબચડી ભાષા બોલતા હતા, એમની વાત જેને લાગુ પડતી હતી તેમને ખૂંચતી પણ હતી. સરદારનું હૃદય કોમળ હતું. એવું કોમળ હૃદય ખેડૂતોની વાતથી દુ:ખી થયું. એમના હૃદયની કોમળતા ખેડૂતોને માટે કામે લાગી ગઈ. હિંસક યુદ્ધનું શાસ્ત્ર ઘણું લખાયું છે, પણ અહિંસક યુદ્ધનું શાસ્ત્ર હજી લખવાનું બાકી છે. ‘બારડોલી સત્યાગ્રહ’ એ શાસ્ત્રના એક સફળ પ્રયોગની રીતે અંકિત થઈ જશે.

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)

ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે વિનોબાજીએ ગાંધીજીના નિર્વાણ પછીના તેર દિવસો દરમ્યાન શ્રદ્ધાંજલિ રૂપે જે ૧૭ પ્રવચનો આપ્યાં હતાં તેની વિસ્તારે વાત કરી હતી. ગાંધીજી અંગે વિનોબાના વિચારોને સમજવા માટે એક બીજા મહત્ત્વના પુસ્તકની થોડી વાત અહીં કરવી છે. પુસ્તક છે, ‘ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ.’ ગાંધી શતાબ્દી નિમિત્તે આ …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)