નિશાળોમાં ગણિત, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોનું શિક્ષણ અપાય છે, એમાં સુધારો કરીને ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવે, એ અમે કહીએ છીએ. નિ:સંદેહ, જીવનમાં ગણિત વગેરેનો ઉપયોગ છે, ઉદ્યોગની આવશ્યકતા તો સ્પષ્ટ છે જ. તેમ છતાં એટલાથી કામ નહીં ચાલે. માટે ઉદ્યોગ તથા બીજા વિષયોની યોજના કરવી જોઈએ.
