ખેડૂત આંદોલન : એક અમાનવીય વિચાર સામેનો માનવીય પ્રતિકાર

સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરીને બે મહિના ચાલેલા કિસાન આંદોલનને પંજાબના થોડાક - મુઠ્ઠીભર અને મોટા ખેડૂતોના (બાલિશ કૃત્ય !) વિશાળ, અહિંસક અને મક્કમ આંદોલનને અવગણવામાં આવ્યું. આ બે મહિના સુધી ખેડૂતો રેલવેને પણ રોકીને બેસી ગયા. સરકારને તેની નોંધ લેવા જેવું તો ન જ લાગ્યું, ઉપરથી સામે ક્ધિનાખોરી રાખીને - સાન ઠેકાણે લાવી દેવાની હોય તેમ, માલગાડીઓની હેરફેર પણ બંધ કરી દીધી. આ સરકાર કઈ હદ સુધી નીચે ઊતરીને કાવતરું રચી શકે છે તેની આ કાંઈ પહેલી કે એકમાત્ર મિસાલ નથી.

મોટી કોર્પોરેટ કંપનીઓ બેંકિંગ ક્ષેત્રમાં આવવાથી શું થશે?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોતાની સલાહકાર સમિતિ વિચારી રહી છે કે દેશના વિકાસ માટે મોટા પાયે નાણાંની જરૂર પડશે. જો કોર્પોરેટ કંપનીઓ પોતાનાં નાણાંનો જથ્થો બેંકિંગ સેક્ટરમાં રોકે તો વિકાસ માટે નાણાંની તંગી ન વર્તાય. આજે પણ નાની મોટી ખાનગી બેંકો છે. આર.બી.આઈ.નો વિચાર અને સરકારનો વિચાર ભિન્ન હશે તેવું આજના માહોલમાં શકય નથી લાગતું. અત્યાર સુધી કુદરતી સ્રોતો પર કોર્પોરેટ સેક્ટરનો ભરડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. દેશમાં તૈયાર કરવામાં આવેલી માળખાગત સગવડો પણ મોટા ઉદ્યોગગૃહોને ચરણે ધરવામાં આવી રહી છે. રેલવેમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પૂછ્યું, 'શું તમે ખરેખર "આત્મનિર્ભરતા" વિશે વાત કરી રહ્યા છો?' ગાંધીજી : શું મેં આ સાચું સાંભળ્યું છે ? ૨૪મી એપ્રિલે તમે કહ્યું કે, “કોવિડ ૧૯ની આપત્તિમાંથી જે બોધપાઠ આપણે શીખ્યા છીએ તેમાં આપણે આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવાનું છે... અને આ વાત તમે તમારા ૧૨ મેના એક ભાષણમાં કહી હતી ? વડાપ્રધાન : …

Continue reading મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!