ભક્ત લક્ષણ

આમ જોવા જઈએ તો દુનિયામાં અનેક ભેદો છે, પરંતુ જડ, ચેતન અને પરમાત્મા, આ મુખ્ય ભેદ છે. તેના પણ અવાંતર-ભેદો છે. જડ એટલે તમામ અચેતન સૃષ્ટિ. સૃષ્ટિમાં પથ્થર, પાણી, વૃક્ષ, પહાડ એ બધા ભેદ છે. તો ઘડિયાળ, ખુરશી, ચશ્માં એ પણ ભેદ છે. એકનું કામ બીજી વસ્તુ નથી કરી શકતી તે રીતે ચેતન-ચેતનમાં પણ ભેદ છે. માણસ અલગ, ગધેડો અલગ. વળી મનુષ્ય મનુષ્યમાં પણ ભેદ છે. પરમેશ્ર્વર અને જડમાં ભેદ હોય છે તેમ પરમેશ્ર્વર અને ચેતનમાં પણ ભેદ છે. એવી રીતે કુલ પાંચ પ્રકારના ભેદ જણાય છે

દિવ્ય શક્તિ માતાજી : ‘આપણે તો શાશ્વતીમાં જીવીએ છીએ’

શ્રી માતાજી અને શ્રી અરવિંદનું મોટાભાગનું લખાણ અંગ્રેજી ભાષામાં છે. જ્યારે તેમના લખાણો અન્ય ભાષામાં અનુવાદ કરવાનાં હોય ત્યારે માત્ર બે ભાષા જાણવાથી કામ ચાલતું નથી. તેમના દર્શનને સમજવા માટે લેખકે પોતાની ચેતનામાં એક નવી દિશા તરફનો ઉઘાડ પણ કરવો પડે છે. એક યોગીના શબ્દને સમજવા માટે તેમાં રહેલા વ્યાપક સત્યની ઝલક પામવા માટે એક આરોહણ કરવું પડે. ક્યારેક તો એમ લાગે કે લેખક અનુવાદકથી આગળ વધીને રૂપાંતર પામેલી ચેતના બની જાય છે.

યાત્રા-અધ્યયન-પ્રસાદી

ભૂદાન-યાત્રામાં મારું જે અધ્યયન ચાલ્યું, તેનું સ્વરૂપ સંગ્રહનું નહીં, દાનનું હતું. લોકહૃદયમાં પ્રવેશ માટે નિમિત્ત તે તે પ્રાંતની તે તે ભાષાના સાહિત્યનું અધ્યયન મારા પર લાદવામાં આવે, મતલબ એ કે પ્રેમથી તેને હું મારા પર લાદી દઉં છું. ઓરિસ્સાની ભૂદાન-યાત્રા વખતે ઉડિયા ભાષા શીખવાને નિમિત્તે ઉડિયાના ભક્ત શિરોમણિ જગન્નાથદાસ દ્વારા રચિત ભાગવતનું અધ્યયન કરવાનો મોકો મળ્યો. અધ્યયન હેતુ એમનો એકાદશ સ્કંધ અમે પસંદ કર્યો. યાત્રામાં જ અધવચ્ચે કલાક-અડધો કલાક રોકાઈને કોઈ ખેતરમાં એકાંતમાં બેસીને બધા યાત્રીઓ સહ-અધ્યયન કરતા.

મીરાંનો મર્યાદાશ્રેષ્ઠ વિદ્રોહ

મીરાં શાશ્ર્વત નારીનું પ્રતીક છે. મીરાં સનાતન ભારતીય નારીની કથા છે. મીરાંના જીવનના પ્રત્યેક ડગલે ને પગલે સંઘર્ષની વાર્તા છે. મીરાંએ પોતાના અભીષ્ટ કર્તવ્ય માટે પેાતાના દૃઢ સંકલ્પ બળે આવનારી બધી જ વિપરીત વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અને તત્કાલીન સમાજ સામે એણે પોતાનું તેજસ્વી વિદ્રોહિણી સ્વરૂપ દેખાડેલું

પ્રેમની રીત સર્વ સેવા

આમ નાગરિકો અને ગ્રામજનોના જીવનમાં ફરક છે. શહેર-વાસીઓએ એવું નક્કી કરવું જોઈએ કે વ્યાયામ માટે ઉત્પાદકીય શરીર-પરિશ્રમ કરે. ઉત્પાદન સિવાયના વ્યાયામને અમીરી કામ, ઈજ્જતનું કામ ગણવામાં આવે છે. પણ વિચારવા જેવું છે કે જો આપણે ઉત્પાદકીય શરીર પરિશ્રમ કરીશું તેથી મજૂર કહેવાશું, તો તેનાથી શું બગડશે ? પરંતુ મજૂરો વિશે એટલી ઘૃણા છે કે તેમનું નામ સુધ્ધાં લેવાનું પસંદ નથી કરતા. જે કામ કરે છે તેને નીચા માનીએ છીએ. જે ગંદકી કરશે, તે ‘નાગરિક’ કહેવાશે અને જે સાફ કરશે તે ‘અછૂત’ કહેવાશે ! આ વૃત્તિ નાગરિક છોડે અને ગ્રામજનોના સેવક બને.

મકરન્દ દવેનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય

શ્રી મકરન્દ દવેને આપણે ત્યાં અધ્યાત્મના પથના કવિ સાધક માનવામાં આવે છે. અધ્યાત્મમાં આત્મતત્ત્વને અંતિમ સત્તા તરીકે સ્વીકારવામાં આવે છે. તે સિદ્ધાંત અધ્યાત્મનો પાયો છે. આ અંતિમ તત્ત્વના સ્વરૂપ અને સંખ્યાની મીમાંસા કરનારી તત્ત્વજ્ઞાનની શાખાને તત્ત્વમીમાંસા કહે છે. અધ્યાત્મવાદ એ ભૌતિકવાદનો વિરોધી સિદ્ધાંત છે.

વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના (ભાગ-૨)

બાબા સાધકો માટે કહેતા કે પ્રવૃત્તિ ઓછી નથી કરવાની પરંતુ વૃત્તિઓને ઘટાડવાની છે. કામ, ક્રોધ, લોભ જેવી વૃત્તિઓ ઊઠતી રહેતી હોય છે, તે વૃત્તિનું સંશોધન કરીને તેને નિર્મૂળ કરવાની છે. કોઈપણ સાધક પહેલાં પોતાની અસત્ વૃત્તિને દૂર કરશે, પછી સત્ને રાખશે. બાબાના જીવનમાં જોઈએ છીએ કે એમણે તો પછી સત્ને પણ દૂર કર્યું. અભ્યાસ દ્વારા …

Continue reading વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના (ભાગ-૨)

અભય : ન ડરે, ન ડરાવે

બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્-અસદ્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમજ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ - આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે. ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન …

Continue reading અભય : ન ડરે, ન ડરાવે

વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

શબ્દ અને જીવનનો સંબંધ અતૂટ, અખંડ, અભિન્ન છે. શબ્દ-વિહિન જીવન અને જીવનવિહોણા શબ્દોનો કોઈ અર્થ જ નથી. જ્યારે વિશ્ર્વની સંસ્કૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે અનેક દેશોમાં, અનેક યુગોમાં અનેક નામી-અનામી સંત-મહાત્મા, મહાપુરુષો થઈ ગયા, જેમના જીવન દ્વારા, જેમની વાણી દ્વારા જીવનની શાશ્ર્વતીના સંદેશ મળે છે. જેના દ્વારા મનુષ્યમાં રહેલી સુષુપ્ત ચેતના …

Continue reading વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના