પ્રકાશ ન.શાહ : સ્વરાજની બાકી લડતના સિપાઈ

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં વિજ્યી થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે ,  હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઊછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.. વરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે બલ્કે, તેમનું છએક દાયકાનું …

Continue reading પ્રકાશ ન.શાહ : સ્વરાજની બાકી લડતના સિપાઈ

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)

ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે વિનોબાજીએ ગાંધીજીના નિર્વાણ પછીના તેર દિવસો દરમ્યાન શ્રદ્ધાંજલિ રૂપે જે ૧૭ પ્રવચનો આપ્યાં હતાં તેની વિસ્તારે વાત કરી હતી. ગાંધીજી અંગે વિનોબાના વિચારોને સમજવા માટે એક બીજા મહત્ત્વના પુસ્તકની થોડી વાત અહીં કરવી છે. પુસ્તક છે, ‘ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ.’ ગાંધી શતાબ્દી નિમિત્તે આ …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)

લેખમાળાના પાંચમા ભાગમાં આપણે વિનોબાજીની પવનાર પ્રવૃત્તિના પ્રથમ ૧૨ વર્ષની, ૧૯૩૮થી ૧૯૫૦ની વાત શરૂ કરી હતી. હવે આપણે ૧૨ વર્ષના અંતિમ સમયમાંની વિનોબાજીની પ્રવૃત્તિ અંગે વાત કરીશું. આપણે આગળ નોંધ્યું છે કે વિનોબાજીએ વર્ષ ૧૯૪૬-૪૭માં છેલ્લી જેલયાત્રા પછી સમાધિવત્ અવસ્થામાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ની રચના કરી હતી. ત્યારબાદ વિનોબાજી પવનારમાં રચનાત્મક કામો તથા અન્ય કામોમાં લાગેલા હતા. …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)

વુહાનના ડૉક્ટરની વાત, ગાંધીના પ્રયત્નોની યાદ અપાવે છે…

ચીનમાં વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઇરસની કોઈને જાણ નહોતી ત્યારે 30 ડિસેમ્બરે લિ વેનલિઆંગે લોકોને જાણ કરી હતી. ત્યારબાદ વુહાન પોલીસે અફવા ફેલાવવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. લિ વેનલિઆંગ દરદીઓની સેવા કરતા છેવટે કોરોનાગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યા. મરણ પથારી પરથી તેમણે કહેલી વાતો ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીને ગાંધીજીની યાદ અપાવે છે. જે આજના સમય માટે ખૂબ મહત્ત્વની છે.

મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

પૂછ્યું, 'શું તમે ખરેખર "આત્મનિર્ભરતા" વિશે વાત કરી રહ્યા છો?' ગાંધીજી : શું મેં આ સાચું સાંભળ્યું છે ? ૨૪મી એપ્રિલે તમે કહ્યું કે, “કોવિડ ૧૯ની આપત્તિમાંથી જે બોધપાઠ આપણે શીખ્યા છીએ તેમાં આપણે આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવાનું છે... અને આ વાત તમે તમારા ૧૨ મેના એક ભાષણમાં કહી હતી ? વડાપ્રધાન : …

Continue reading મહાત્મા ગાંધીએ વડાપ્રધાનને ફોન કર્યો!

ગાંધીજીના અંતેવાસી મીરાબેનની નજરે બાલાકોટ

૧૯૩૯ની વસંત ઋતુની વાત છે. ગાંધીજીએ મીરાબહેનને ફ્રંટિયર પ્રોવીન્સ મોકલ્યા. તેમનો હેતુ એ વિસ્તારમાં ચરખા કાંતણ અને વણાટના પ્રસારનો હતો .એ યાત્રા દરમ્યાન મીરાબહેન એબટાબાદ(જ્યાં અમેરિકના નેવી સિલ્સે ઓસામા બિન લાદેનને માર્યો હતો)ના રસ્તે બાલાકોટ ગયા હતા. મીરાબહેન પોતાની ડાયરીમાં એ યાત્રાનું વર્ણન કર્યું છે.

ગાંધીજી પાસેથી શીખવા જેવી કળા : મતભેદ કેવી રીતે દૂર કરવા

માણસો માટે મતભેદ અનિર્વાય અને સ્વાભાવિક છે. વિચારોની વિભિન્નતા અને મતભેદનો ઉકેલ લાવવાથી માનવજાતિનો વિકાસ થયો છે. એટલેજ આજકાલ જ્યારે કેટલાક લોકો મતભેદને લીધે બીજાને મારવા પર ઉતરી જાય ત્યારે આપણે ચિંતા કરીએ છીએ. સોશિયલ મીડિયા પર જે મતભેદોને લઈને જે ક્રૂરતા ફેલાઈ છે તેની યાત્રા ભલે નવી લાગતી હોય પણ આ સમસ્યા જૂની છે.

ગાંધીજીને ‘શિકારી’ કેમ કહેવામાં આવ્યા?

કેવા કેવા માણસોને ગાંધીએ ખેંચ્યા ! જ્યાં પહોંચ્યા, જ્યાં સત્યાગ્રહો કર્યા ત્યાં ગાંધીએ પર્સનલ લવ અને ઇમપર્સનલ લવ બંને, માણસોના સંબંધોમાં ભરપૂર રેડ્યો છે. પર્સનલ લવ ઉષ્મા આપે અને ઇમપર્સનલ લવ પ્રકાશ આપે. કૅલેનબેક, પોલાક, ઍન્ડ્રુઝ, સરદાર, નહેરુ, મહાદેવભાઈ, વિનોબા, જમનાલાલજી તથા ગાંધીજીના અક્ષરદેહના 100 ખંડોમાં ફેલાયેલા પત્રોમાં તથા મહાદેવભાઈની ડાયરીમાં વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં આ જોવા મળે છે.

હિંદ સ્વરાજના અદના સૈનિક

Lakhanbhai સમાજે, આ વ્યવસ્થાએ વ્યક્તિ, કુટુંબ, સંસ્થા માટે ચોક્કસ માળખાં બનાવ્યાં  છે અને તેની અપેક્ષા એવી રહે છે કે બધું તે પ્રમાણે જ ચાલતું રહે. આ વ્યવસ્થા એક વર્ગ, મોટા ભાગે પૈસાદાર અને ઉપલા મધ્યમ વર્ગ માટે તો ઉપર ઉપરથી ખૂબ સારી દેખાય છે. પરંતુ આ વ્યવસ્થામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગને ભાગે અન્યાય તેમજ સહન …

Continue reading હિંદ સ્વરાજના અદના સૈનિક