ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં વિજ્યી થયા બાદનો પ્રકાશભાઈ શાહનો તત્ક્ષણ પ્રતિભાવ હતો કે , હું નર્મદ જેવો કડખેદ ન હોઉં પણ ગુજરાત જે રણજિતરામની પરંપરામાં ઊછર્યું તેના એક સિપાઈ તરીકે હું મને જોઉં છું.. વરિષ્ઠ પત્રકાર, કર્મશીલ-લેખક અને ગુજરાતના વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશભાઈ શાહ ન માત્ર રણજિતરામની પરંપરાના સિપાઈ છે બલ્કે, તેમનું છએક દાયકાનું …
