સામાજિક ન્યાયના આજીવન ઝંડાધારી જાનીભાઈની વિદાય

જેની ખોટ પુરાવી મુશ્કેલ છે, એવી આ વ્યક્તિને કાળે આપણી વચ્ચેથી છીનવી લીધા ત્યારે એટલું જ નિવેદન કરવાનું કે મૃત્યુ જેને છીનવી શકતું નથી તે છે, વિચાર. આ વિચાર-પુરુષ આપણી સાથે અને વચ્ચે ચિરંજીવ છે, અને રહેશે.

ઇન્દુભાઈ નવા વિચારો, નવા પ્રયોગોને આવકારવા હરદમ તત્પર રહેતા

ઇન્દુભાઈની સાથે, છેલ્લા પાંચ દાયકાના લોક-સંઘર્ષના ઘણા બનાવો અને કર્મશીલ વ્યક્તિઓની યાદ સ્મૃતિપટ પર આવે છે. મેં ઇન્દુભાઈને અને ‘નયામાર્ગ’ને એકબીજાના પર્યાય તરીકે, વંચિતોના અવાજમાં જોયા છે. તેઓ સિત્તેરના દાયકામાં બૅન્કની નોકરી છોડી ઝીણાભાઈ દરજી સાથે જાહેર જીવનમાં સક્રિય થયા, ત્યારે.....

લખાણો અને વિચારોમાં તેજતર્રાર, છતાં અતિસંવેદનશીલ અને કોમળ : ઇન્દુભાઈ જાની

જ્યારે મારે સનત મહેતા સાથે ૧૯૯૦ પછી નિકટથી કામ કરવાનો મોકો ઊભો થયો, ત્યારબાદ તેમને કારણે ઇન્દુભાઈને પ્રત્યક્ષ મળવાનું થયું. ઇન્દુભાઈને પ્રત્યક્ષ જાણ્યા વગર મેં તેમના વિશે બાંધેલા પૂર્વગ્રહ અંગે પાછળથી મનોમન ખાસ્સો એવો પસ્તાવો થયેલો. લખાણોમાં અને વિચારોમાં તેજોતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિસંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ મને કંઈક જુદી જ વ્યક્તિ લાગ્યા. તે પછી તો અમારી દોસ્તી ઠીક ઠીક જામી.

વિધિવત્ અઘોષિત કટોકટીના કાળમાં થાણાં તો ઠીક, એકલદોકલ ઠેકાણાં પણ ક્યાં!

ઇન્દુભાઈ જાની અને ‘નયામાર્ગ’ની પર્યાયી ઓળખની હમણાં જિકર કરી તો સાથેલગો મારે ફોડ પણ પાડવો જોઈએ કે આ ઓળખ શું હતી. એમાંથી ઇન્દુકુમારના જીવનકાર્યની છબી ઊઘડશે અને ત્રણે સામયિકો સાથે, તથા નિરાળાં શી વાતે હતાં (અને છે) એય સ્પષ્ટ થશે.

ઇન્દુભાઈએ હંમેશાં ગરીબો અને શોષિતોની પડખે જ ઊભા રહેવાનું પસંદ કરેલું

અમે, મિત્રો અને સાથીદારો, સ્નેહથી તેમને ‘ઇન્દુભાઈ’ કહીને જ બોલાવતા. સામાજિક ક્ષેત્રે કર્મશીલોની ભૂમિ હવે સંકોચાઈ રહી છે અને ઇન્દુભાઈના નિધનથી આ ખોટ વધી છે. ૭૭ વર્ષની એમની જિંદગીમાંથી એમનાં લખાણ, વક્તવ્ય, રજૂઆત અને કાર્યક્રમો દ્વારા ૪૧ વર્ષ જેટલો લાંબો સમય તેમણે ગરીબો-શોષિતોની વેદનાને વાચા આપવામાં વીતાવ્યો.

ખેડૂત આંદોલન : આમૂલ પરિવર્તનનો પ્રયાસ

કિસાન આંદોલન કોઈ સામાન્ય ઘટના નથી. તેને માટે વપરાયેલાં વિશેષણો માત્ર બળાપો દર્શાવનારાં સાબિત થયાં છે. ‘ખાલીસ્તાની’, ‘મુઠ્ઠીભર લોકો’, ‘રાજકીય પક્ષોનું કાવતરું’, ‘અણસમજુઓની ચઢવણી’ વગેરેથી માંડી એક અભિનેત્રીએ ‘સો-સો રૂપિયાવાળી સ્ત્રીઓ’ કહીને બેશરમીની તમામ હદો વટાવી દીધી છે ! આ સમગ્ર લડતનાં કારણો, પદ્ધતિ અને એકંદર પરિસ્થિતિ સાથે શાસન, પત્રકારત્વ, અર્થકારણ અને ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનાં અનેક પાસાં નજરે ચઢે છે. પણ આ બધા ઉપર આવતા પહેલાં થોડોક ઇતિહાસ તપાસીએ.

‘ઇકો સેન્સિટિવ ઝોન’ના નામે પર્યટન વિકાસ

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય MoEF, દિલ્હીએ ભારતમાં કુલ 553 વન્યજીવ અભયારણ્યોમાંથી 275ની આસપાસ ઈકો સેન્સિટિવ ઝોન બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. આમાંથી 215 ઈકો સેન્સિટિવ ઝોનના ભારતીય રાજપત્ર દ્વારા જાહેરનામાં બહાર પડ્યાં છે, જેમાંનાં 183 કાચા ખરડાના સ્વરૂપે છે. અને 32 અંતિમ ખરડાના સ્વરૂપે છે.