ખેડૂત આંદોલનમાં ગુજરાતનો યુવાન…

દિલ્હીની સિંધુ બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને, આ લખાય છે ત્યાં સુધીમાં ચાર અઠવાડિયાંથી વધારે સમય થઈ ગયો છે. આ આંદોલનમાં દેશભરના ખેડૂતો જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં વિવિધ ખેડૂત સંગઠનો, કર્મશીલો પ્રત્યક્ષ દિલ્હી જઈને ખેડૂત આંદોલનમાં જોડાયા છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેના ઝઘડાને કેવી રીતે ઘટાડી શકાય?

એક છે, તરુણ-શક્તિ અને બીજી છે, વૃદ્ધ-શક્તિ. એ બંનેની વચ્ચે ટક્કર ઊભી થાય છે. તરુણોને થાય છે કે વૃદ્ધો જોર ને શોરથી આગળ નથી વધતા અને અમને પણ આગળ વધવા નથી દેતા. વૃદ્ધો ક્રાંતિની કલ્પના છોડીને પોતાની ઘર-ગૃહસ્થીમાં અને પોતાની સંસ્થાઓમાં બંધાઈ ગયા છે. વૃદ્ધો માટે સામાન્ય રીતે તરુણોની આવી ફરિયાદ રહેતી હોય છે.