સર્વોદય આંદોલન અંગે વિનોબા…

સમસ્ત જીવનમાં અધ્યાત્મનો વિનિયોગ સર્વોદય આંદોલનમાં લાગેલા આપણે સહુએ એક વાત એ સમજવાની છે કે આપણું આ કાર્ય એક આધ્યાત્મિક કાર્ય છે. તેમાં ક્રાંતિની, સમાજ-પરિવર્તનની વાત છે, પણ તે આધ્યાત્મિક બુનિયાદ પર આધારિત છે. આપણા કામનો સાર એ છે કે તમે, હું બધા એક છીએ. આપણા સહુનું જીવન એકરૂપ થવું જોઈએ. કોઈ સુખી છે, કોઈ …

Continue reading સર્વોદય આંદોલન અંગે વિનોબા…

વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના (ભાગ-૨)

બાબા સાધકો માટે કહેતા કે પ્રવૃત્તિ ઓછી નથી કરવાની પરંતુ વૃત્તિઓને ઘટાડવાની છે. કામ, ક્રોધ, લોભ જેવી વૃત્તિઓ ઊઠતી રહેતી હોય છે, તે વૃત્તિનું સંશોધન કરીને તેને નિર્મૂળ કરવાની છે. કોઈપણ સાધક પહેલાં પોતાની અસત્ વૃત્તિને દૂર કરશે, પછી સત્ને રાખશે. બાબાના જીવનમાં જોઈએ છીએ કે એમણે તો પછી સત્ને પણ દૂર કર્યું. અભ્યાસ દ્વારા …

Continue reading વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના (ભાગ-૨)

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)

લેખમાળાના પાંચમા ભાગમાં આપણે વિનોબાજીની પવનાર પ્રવૃત્તિના પ્રથમ ૧૨ વર્ષની, ૧૯૩૮થી ૧૯૫૦ની વાત શરૂ કરી હતી. હવે આપણે ૧૨ વર્ષના અંતિમ સમયમાંની વિનોબાજીની પ્રવૃત્તિ અંગે વાત કરીશું. આપણે આગળ નોંધ્યું છે કે વિનોબાજીએ વર્ષ ૧૯૪૬-૪૭માં છેલ્લી જેલયાત્રા પછી સમાધિવત્ અવસ્થામાં ‘જ્ઞાનદેવ ચિંતનિકા’ની રચના કરી હતી. ત્યારબાદ વિનોબાજી પવનારમાં રચનાત્મક કામો તથા અન્ય કામોમાં લાગેલા હતા. …

Continue reading વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૩)

અભય : ન ડરે, ન ડરાવે

બહુ પ્રાચીન કાળથી માનવમનમાં સદ્-અસદ્ પ્રવૃત્તિઓનો જે ઝઘડો ચાલે છે, રૂપકાત્મક વર્ણન કરવાની પરિપાટી પડી છે; વેદમાં ઇન્દ્ર અને વૃત્ર, પુરાણોમાં દેવ અને દાનવ, તેમજ રામ અન રાવણ, પારસીઓના ધર્મગ્રંથોમાં અહુરમજદ અને અહરિમાન, ઈસાઈ ગ્રંથોમાં પ્રભુ અને શૈતાન, ઇસ્લામમાં અલ્લાહ અને ઈબ્લીસ - આ ઝઘડા બધા ધર્મોમાં દેખાય છે. ગીતામાં આસુરી અને દૈવી સંપત્તિનું વર્ણન …

Continue reading અભય : ન ડરે, ન ડરાવે

જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.) જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો. ‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો …

Continue reading જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

શબ્દ અને જીવનનો સંબંધ અતૂટ, અખંડ, અભિન્ન છે. શબ્દ-વિહિન જીવન અને જીવનવિહોણા શબ્દોનો કોઈ અર્થ જ નથી. જ્યારે વિશ્ર્વની સંસ્કૃતિનું અવલોકન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે અનેક દેશોમાં, અનેક યુગોમાં અનેક નામી-અનામી સંત-મહાત્મા, મહાપુરુષો થઈ ગયા, જેમના જીવન દ્વારા, જેમની વાણી દ્વારા જીવનની શાશ્ર્વતીના સંદેશ મળે છે. જેના દ્વારા મનુષ્યમાં રહેલી સુષુપ્ત ચેતના …

Continue reading વિનોબાજીની શૈલી, પ્રયોગો તથા ગણિતોપાસના

શિક્ષણના ત્રિદોષ

સમાજમાંથી શોષણ બંધ થવું જોઈએ. શિક્ષણમાં પહેલેથી જ આ બાબત પર અત્યંત ભાર મુકાય અને આ માટેની તાલીમ અપાય. શિક્ષણ બીજાને લૂંટવાનું કેવી રીતે કરી શકે ? એક માણસ દ્વારા બીજા માણસનું તેમ જ શહેર દ્વારા ગામડાનું શોષણ બંધ થવું જોઈએ.

ગાંધીજીને ‘શિકારી’ કેમ કહેવામાં આવ્યા?

કેવા કેવા માણસોને ગાંધીએ ખેંચ્યા ! જ્યાં પહોંચ્યા, જ્યાં સત્યાગ્રહો કર્યા ત્યાં ગાંધીએ પર્સનલ લવ અને ઇમપર્સનલ લવ બંને, માણસોના સંબંધોમાં ભરપૂર રેડ્યો છે. પર્સનલ લવ ઉષ્મા આપે અને ઇમપર્સનલ લવ પ્રકાશ આપે. કૅલેનબેક, પોલાક, ઍન્ડ્રુઝ, સરદાર, નહેરુ, મહાદેવભાઈ, વિનોબા, જમનાલાલજી તથા ગાંધીજીના અક્ષરદેહના 100 ખંડોમાં ફેલાયેલા પત્રોમાં તથા મહાદેવભાઈની ડાયરીમાં વ્યક્તિઓ સાથે થયેલા પત્રવ્યવહારમાં આ જોવા મળે છે.