કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની

ગૌરાંગ જાની લિખિત કેતન રૂપેરા સંપાદિત પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની’ના પાના નંબર 92 પર ઉમેરણની છૂટ સાથે વાતુંની યાદી આપી છે. પુસ્તકમાં એમણે કોરોનાકાળની તૃણમૂળથી વૈશ્ર્વિક સ્તરની વાતું માંડી છે. આમ તો ઝલક છે છતાં એ ગાગરમાં સાગર છે. મહત્ત્વ એટલે છે કે એ અધિકૃત સમાજશાસ્ત્રી દ્વારા લખાયેલી છે, જ્યાં કાવ્યો, ઘટનાઓ અને લેખો છે પણ કવિની કોઈ પરિકલ્પના નથી. વાસ્તવવાદી કાવ્યો છે.

‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

ચલચિત્ર એ કલા અને અભિવ્યક્તિનું સશક્ત અને બોલકું માધ્યમ છે. અમૃત ગંગરે ફિલ્મસમીક્ષાનું ક્ષેત્ર ખેડ્યું છે. બહુ ઓછા ગુજરાતીઓ આ ક્ષેત્રમાં છે અને જે છે તેમાં અત્યંત અભ્યાસુ અને મહેનતુ સમીક્ષક તો આ એક માત્ર. તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં સતત આ વિષય પર લખે છે અને તેમનાં લખાણો લોકપ્રિય છે. તેમનાં લખાણોમાં વિદ્વત્તા …

Continue reading ‘માઇગ્રંટ વર્કર્સ ડીસ્કોર્સ’ – અમૃત ગંગરનો નવો પ્રયોગ

હા, હું તટસ્થ નથી

વર્તમાન સમયમાં, તટસ્થ રહેવું શક્ય નથી. મારું માનવું છે કે, કેટલાક ધર્મોના શરણાર્થીઓને(સતાવવામાં આવેલ ધાર્મિક લઘુમતીઓ) તાત્કાલિક ધોરણે ભારતીય નાગરિકતા આપવા માટે લાવવામાં આવેલ નાગરિકતા અધિનિયમ, 2019 (સીએએ)માં ગંભીર ખામીઓ છે. આ દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય વિરુદ્ધ તો એ છે જ, પરંતુ સ્થળાંતર અંગેના ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને પણ તે અવગણે છે. વિદેશી લોકો ભારતમાં ગેરકાયદેસર …

Continue reading હા, હું તટસ્થ નથી