નરવી ટેક્નોલોજીના માણસ : શ્રી છેલભાઈ શુક્લ

ગાંધીએ પણ નવો વિચાર રજૂ કર્યો કે, 'Go back to villages'. અંગ્રેજોએ આપણા ઉપર ઠોકી બેસાડેલી શિક્ષણપ્રથા, જીવનશૈલી, રાજનીતિ વગેરેને પડકાર આપી સમાજને તંદુરસ્ત બનાવે તેવા વિચારો પત્રકારત્વનાં જુદાં જુદાં માધ્યમો દ્વારા સમાજ સામે ગાંધીજીએ રજૂ કર્યા. આની એક જબરી અસર સમાજ ઉપર પડી અને ઉપર જણાવ્યું તેમ કેટલાયે કાર્યકરોએ શિક્ષણક્ષેત્રે, ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રે, સફાઈ ક્ષેત્રે, અસ્પૃશ્યતા-નિવારણ ક્ષેત્રે, અન્ય રચનાત્મક કાર્યોનાં ક્ષેત્રે પોતાનાં જીવન અર્પણ કરી દીધાં. આમાંના એક તે શ્રી છેલભાઈ શુક્લ.

ચોટલાના સમ

અડધોઅડધ આદિવાસી વસ્તી ધરાવતું, અનેક અભાવો વચ્ચે ઊભેલું ગામ સીકરી. જો કે, નાનું હોવા છતાં ગામથી ત્રણેક કિલોમીટર દૂર સાત ધોરણ સુધીની સરકારી શાળા હતી એટલું સારું હતું. સુનિતા અને સંગીતા બેઉ ખાસ બેનપણીઓ. સુનિતાને સુની અને સંગીતાને સંગુ કહીને જ સૌ બોલાવતાં. ‘સુની, તિયાર થેય ગેય? ચાલ, નિહારનો ટેમ થેય ગિયો.’ ‘એ આવી સંગુ, …

Continue reading ચોટલાના સમ

વિદેશી ફંડ – સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકારનો અભિગમ

સરકાર કે સત્તાપક્ષ સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રેમથી આવકાર આપતી નથી. દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી ત્યારથી સ્વૈચ્છિક સંસ્થાઆનો અવાજ દબાવવાના વિવિધ રસ્તાઓમાં એક રસ્તો છે તેના ફંડને નિયંત્રિત કરવું. તેમાં છે એક વિદેશી ફંડ નિયમન અધિનિયમ, જે FCRA તરીકે ઓળખાય છે. ચાલુ વર્ષે FCRA - ફોરેન ક્ધટ્રીબ્યુશન રેગ્યુલેશન એન્ડમેન્ટ્સ એક્ટ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ પર વધુ લગામ કસવાનો પ્રયત્ન થયો છે.

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-15)

આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે ગાંધીજીની હત્યા બાદ સેવાગ્રામમાં 11 થી 15 માર્ચ 1948માં મળેલ સંમેલન અંગેની વિગતો નોંધી હતી. દેશભરમાંથી આવેલા 500 જેટલા કાર્યકરોને વિનોબાજીએ માર્ગદર્શન આપ્યું હતું. સામૂહિક સ્તરે વિચારમંથન પણ સારા એવા પ્રમાણમાં થયું હતું.

અપરાધમાં જાતિવાદ સમીકરણ

હાથરસની પીડિત યુવતી માત્ર દલિત નહીં, અતિ ગરીબ કુટુંબની પુત્રી પણ હતી. કથિત બળાત્કાર આરોપીઓ ક્ષત્રિય (રાજપૂત-ઠાકુર) જ્ઞાતિના છે. ઉ.પ્ર. રાજ્યના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ આ જ્ઞાતિના છે - આ બનાવ બનતાં જ રાજ્યતંત્ર આરોપીઓના બચાવ માટે હરકતમાં આવ્યું હતું. નીચેથી ઉપર સુધીનું તંત્ર મુખ્ય મંત્રી તેમ જ તેમની જ્ઞાતિને ખુશ કરવા મથી રહ્યું હતું. પીડિત યુવતીનો મૃતદેહ બાળી તમામ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ થયો.

ભારત છોડો આંદોલન

ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ ત્યારથી શાળાઓમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે, તે અમે પણ ભણ્યા હતા. મારું મન કહ્યા કરતું હતું, કે આ અંગ્રેજો ભણાવે છે તે ઇતિહાસ ક્યાં સુધી ભણતા રહીશું ? આપણે પોતે કોઈ ઇતિહાસ રચીશું કે નહીં ? જો કે ‘ભારત છોડો’ આંદોલન - 1940થી 1945 દરમિયાન - દ્વારા આપણે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું છે.

મોટાં શહેરો હવે તૂટવાં જોઈએ

આ જે ચૂંટણી થાય છે, તેનો પોતાનો અલગ ધર્મ-વિચાર છે. તેમના 3 સિદ્ધાંત છે : આત્મસ્તુતિ, પરનિંદા અને મિથ્યાભાષણ. અગર ગામમાં આને લઈને ફૂટ પડી, તો કર્યું-કારવ્યું બધું ધૂળમાં મળી જશે. આગ લગાવવી બહુ સહેલી છે, પરંતુ આગ બુઝાવવી બહુ કઠણ. ભાગવતમાં એક વાર્તા છે કે ગોકુળમાં આગ લાગી, તો ભગવાન અગ્નિ પી ગયા. અહીં તો આગ લગાડનારા ખૂબ છે. ચૂંટણી ટાણે તેઓ ગામેગામ ફરશે અને આગ લગાવશે. પછીથી એ ગામનું શું થશે તે નહીં વિચારે.

કોંગો – ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ ધ કોંગોની કરુણ કહાની

યુરોપના દેશોએ 19મી સદીમાં વિશ્ર્વના ઘણા બધા દેશોનું ખૂબ જ મોટા પાયે શોષણ કર્યું છે. યુરોપની જાહોજલાલી અન્ય દેશોની લૂૂંટના આધારે સર્જાઈ છે. 15મી સદીની શરૂઆતથી યુરોપ એમ જ માનતું હતું કે આફ્રિકાની કુદરતી સંપત્તિ તેમના માટે જ છે. અને તે ગમે તેમ કરીને લૂંટી લેવાની છે. વર્ષ 1870થી 1900ના ગાળામાં આફ્રિકાના મોટા ભાગના દેશો યુરોપ દ્વારા લૂંટાઈ ચૂક્યા હતા.

અંગ્રેજોનો અત્યાચાર : બંગાળના હાથશાળના કારીગરો

અંગ્રેજોએ ભારતના લોકો પર કેવા કેવા અત્યાચાર કર્યા છે તે અંગે ઘણું લખાયું છે. પરંતુ બંગાળના હાથશાળના કારીગરો પરના અત્યાચાર અંગે જુદા જુદા મત છે. કહેવાય છે કે બંગાળના હાથશાળના કારીગરો અંગ્રેજોને મફતના ભાવમાં તેમનું ઉત્પાદન વેચવા તૈયાર ન હતા. અંગ્રેજોએ ભારતમાં ઉત્પાદન થતા કાપડ ઉપર ઇંગ્લેન્ડમાં પ્રતિબંધ જાહેર કર્યો હતો. ભારતના કારીગરો ઇંગ્લેન્ડથી આવતા રેશમ તેમજ સુતરનો વણાટમાં ઉપયોગ કરે તેવો આગ્રહ પણ કરતા હતા.