ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ "દેખતા માણસ કરતાં આંધળો માણસ વધુ જોઈ શકતો હોય છે” -એવું કહેવાતું હોય છે. ‘મારો જ કક્કો સાચો’ એવી હઠથી આંધળો વ્યવહાર આજે ફૂટી નીકળ્યો છે. તેથી ભારતનો સમજુ સમાજ ભીંતે માથું અફાળી રહ્યો છે, તે સ્થિતિને સમજાવવા લખાયેલા મરાઠી પુસ્તકને ગુજરાતીમાં રજૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. પુસ્તકનું નામ છે …
Category: સમાજ અને સંસ્કૃતિ
મૂળશંકરભાઈનો બાલપ્રેમ
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ‘મારાં ચાર(બાળકો)માંથી એકેયને મોઢે ‘માડી કે બા’ શબ્દ બાળપણમાં નીકળ્યો જ નથ ને ! ‘ભાઈ’ જ ! ‘ભાઈ’ની રાડ પાડે. રોવે કે સવારે ઊઠતાંની વેંત પૂછે તો ‘ભાઈ’ ! ભાઈ ને ભાઈ !’ હંસુમાડીનું મૂળશંકરભાઈને આ પ્રમાણપત્ર એક વિરલ પિતાનું જ ! અપ્રતિમ ! દુનિયાનાં તમામ બાળકો માતાને વળગતાં, માતાની સોડ …
મીનુભાઈ : હૃદય સદાય જેનું સ્નેહભીનું
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ભાઈ મોહન મઢીકરની પાયાની મહેનત વગર આ પુસ્તક - ‘હૃદય સદાય જેનું સ્નેહભીનું’ તૈયાર કરવું શક્ય જ ન હતું. બધી રસોઈ કરવાની સામગ્રી તેમજ જરૂરી મસાલા, અને ઠીક એવું કાચું પાકું રાંધ્યા પછી વઘાર છેવટે કરવાનો હોય તેવું મારે ભાગે ગણવું જોઈએ. ભાઈ રાજુભાઈ, મારી પાછળ પડીને ઉઘરાણી કરતા રહ્યા. ‘કેટલે …
શ્રી જ્યોતિભાઈ દેસાઈ – જીવનચિત્ર કથા
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ વર્ષ વિગત ૧૯૨૬ ૫ મે, ૧૯૨૬ મુંબઈમાં જન્મ. ૧૯૪૨ હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો. ૧૯૫૦ મુંબઈમાં બી.એસ.સી.ની ડિગ્રી હાંસલ કરી. ૧૯૫૨ ગુંદી (ધોળકા તાલુકા) સંસ્થામાં નવલભાઈ સાથે જોડાયા. ૧૯૫૬ સ્વામી આનંદનો પ્રથમ પરિચય ૧૯૫૭ માલિનીબહેન ખેર સાથે લગ્ન. ૧૯૫૭ લંડન યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્રમાં અનુસ્નાતક થયા. ૧૯૫૯ થી ૧૯૬૭ લોકભારતી-સણોસરામાં અધ્યાપક, ગૃહપતિ, …
અમાસનાં અજવાળાં
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ શ્રી જ્યોતિભાઈ - માલિનીતાઈ દંપતીએ દક્ષિણ અમેરિકાના ત્રણ દેશોના ઉઘાડી આંખે, જાગ્રતપણે કરેલા પ્રવાસ પછી, ગાંધીજીના દેહ-વિલય પછી એમના વિચારો અને જીવનકાર્યથી પ્રભાવિત, પ્રેરિત થઈ ગાંધીમાર્ગે જીવન જીવનારા, અને અન્યાય, શોષણ, પીડનનો સામનો અહિંસક રીતે કરનારા અનેક માણસોનાં દર્શન (‘અમાસ’ પુસ્તકમાં પત્રરૂપે) આપણને કરાવ્યાં છે. દેસાઈ દંપતીએ ગાંધીજીની રીતે જીવનારાંઓમાંના અને …
મોન્ટેસોરીની વિચારધારાને આત્મસાત્ કરનાર પુસ્તક : ‘બાલવાડી’
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ વેડછીના જુગતરામભાઈ દવેએ વર્ષ ૧૯૨૩થી ૧૯૬૬ સુધીમાં ૨૩ પુસ્તકો લખ્યાં. તેમાં ૧૯૬૨માં લખેલા પુસ્તક ‘બાલવાડી’ માટે કહેવાયું - ભારતની કોઈપણ ભાષામાં આ વિષયનો અદ્વિતીય ગ્રંથ છે. શ્રી જ્યોતિભાઈએ ગ્રંથ ‘વેડછીનો વડલો’માં ‘બાલવાડી’ પુસ્તકનો પરિચય કરાવ્યો છે. તેમણે લખ્યું - નઈ તાલીમની પાયાની વિગતો પ્રગટ કરનારો આ ગ્રંથ છે. મોન્ટેસોરીની વિચારધારાને આત્મસાત્ …
Continue reading મોન્ટેસોરીની વિચારધારાને આત્મસાત્ કરનાર પુસ્તક : ‘બાલવાડી’
ઇતિ ‘વેદ-શ્રી’ વેડછી ગોત્ર પ્રસ્થાપિત: ‘વેડછીનો વડલો’ ગ્રંથનું ગુણદર્શન
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ગાંધીના અવસાન પછી જન્મેલી પેઢીનો પ્રશ્ર્ન એમ હોય છે કે અમે તો ગાંધીને નથી જોયા તેથી તેમની વાતો અને વિચારોનો અમલ શી રીતે કરવો તે સ્પષ્ટ થતું નથી. આ પ્રશ્ર્નનો ઉત્તર આપી શકાય અને ગાંધી જીવનની ઝાંખી કરાવી શકાય તેવી શક્તિ ધરાવતું પુસ્તક એટલે ‘વેડછીનો વડલો.’ પુસ્તકના કેન્દ્રમાં જુગતરામભાઈને મૂકવાનો પ્રયત્ન …
Continue reading ઇતિ ‘વેદ-શ્રી’ વેડછી ગોત્ર પ્રસ્થાપિત: ‘વેડછીનો વડલો’ ગ્રંથનું ગુણદર્શન
નિષ્ઠાનો ધબકાર
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ નિષ્ઠાનો ધબકાર ‘શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ’નો ઉપોદ્ઘાત લખવાનું પૂ. મૂળશંકરભાઈએ મને સૂચવ્યું તેથી ગલગલિયાં થઈ ગયાં અને સાથે જ શી જવાબદારી ઉઠાવું છું તે વિશે દહેશતનો ડુંગર સામે આવીને ખડકાયો. પૂ.ભાઈના સમગ્ર જીવનકાર્ય ઉપર વિવેચન કરવાનું આ કામ કરવું એ તો નરી ધૃષ્ટતા જ થાય. છતાં આ ધૃષ્ટતા કરવાનો મેં …
તમસમાંથી જ્યોતિ ભણી
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ જ્યોતિભાઈ દેસાઈની આ કિતાબ ‘નિશંકપણે જવાબદાર’ (યજ્ઞ પ્રકાશન, વડોદરા), કંઈ નહીં તો પણ સન બયાલીસના વારાથી જલતા જિગરની સાહેદીરૂપ છે. ક્યારેક સ્વરાજસંગ્રામનો વીંછુડો ડંખતાં ડંખ્યો, અને ગાંધી-વિનોબા-જેપી-કૃપાએ, સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં પણ એ ડંખે કેડો ન મેલ્યો તે ન જ મેલ્યો. આમ તો જ્યોતિભાઈનું પ્રત્યક્ષ સાધનાક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે. પણ ઉત્તરોત્તર એનો સંદર્ભ …
કોઈ પૂછે તમે ક્યાંના – અમે ‘ગુંદીના’
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ નવલભાઈ શાહ લખે છે - શ્રી શાંતિલાલ શાહ મુંબઈમાં જાહેર જીવનમાં સક્રિય હતા. તે મારા બાપુના સગા માસીના દીકરા થાય. તેઓ ખાદી ને ગ્રામોદ્યોગનાં કામોમાં રસ ધરાવતા હતા. ‘કોરા ગ્રામોદ્યોગ કેન્દ્ર’ વિકસાવવામાં તેમનો સારો ફાળો રહ્યો હતો. ગુંદીમાં સંસ્થાનું કામ જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ નવા નવા યુવાન મિત્રો જોડાતા …
આગવી કેડીના ગાંધીમાર્ગી : જ્યોતિભાઈ દેસાઈ
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ જ્યોતિભાઈ દેસાઈ સાથે મારો સંબંધ બંધાયો ૧૯૬૦માં, હું લોકભારતીના મહાવિદ્યાલયમાં ભણવા માટે દાખલ થયો ત્યારે. તેમણે અને યશવંતભાઈ ત્રિવેદીએ મારો ઇન્ટરવ્યુ લીધો હતો. ત્યારે જ લાગ્યું હતું કે આ ખોપરી જુદી છે. તેઓ લોકભારતી આવ્યા પહેલાં સ્વરાજના સૈનિક તરીકે અને નવલભાઈ શાહ સાથે શિક્ષણનું કામ કરી ચૂક્યા હતા. લોકભારતીમાં તેઓ આચાર્ય …
અલવિદા… પ્રિય મિત્રને !
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ આપણને પોતાનાં મા-બાપ પસંદ કરવાની તક નથી પરંતુ એવી જો કોઈ ગોઠવણ કરી દે ઉપરવાળો તો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના ફરીથી આ જ બા-બાપુજી પાછાં માંગું ! આવું કહેવા પાછળ ઘણાં કારણો છે, જેમાંનાં ઘણાં અંગત પણ હોઈ તેની અહીં પ્રસ્તુતતા ન હોય. છતાં મિત્રો, વડીલોના આગ્રહને વશ થઈને …
શિક્ષક : શાંતિમય ક્રાંતિનો અગ્રદૂત
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ ‘હું એક શિક્ષક છું’ - એમ કહેવામાં કાંઈ ખોટું તો નથી. હું શિક્ષક છું જ. અને તેમ છતાં મને લાગે છે કે ‘હું એક વિદ્યાર્થી છું’ - એમ કહેવું વધારે ઠીક થશે. અધ્યાપન કરતાંયે મારું અધ્યયન જ ચાલ્યું છે. શિક્ષક કાંઈ નવું નથી કરતો. પોતે નિમિત્ત માત્ર બને છે, એમ તેણે …
ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪
શિક્ષણવિદ્ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક - ભૂમિપુત્ર : ૧૬ એપ્રિલ, ૨૦૨૪ અનુક્રમણિકા : શિક્ષક : શાંતિમય ક્રાંતિનો અગ્રદૂત - વિનોબા જ્યોતિભાઈનું જીવન તેમના શબ્દોમાં - જ્યોતિભાઈ અલવિદા... પ્રિય મિત્રને ! - સ્વાતિ દેસાઈ આગવી કેડીના ગાંધીમાર્ગી - મનસુખ સલ્લા ખુશ રહો, ખુશ કરો, ખુશાલી ફેલાવતા રહો - ભદ્રા સવાઈ માલિનીબહેન - જ્યોતિભાઈનું સ્વસ્થ ગૃહજીવન અને સફળ દાંપત્ય …
જળ ‘તીર્થ’ છે અને અન્ન ‘બ્રહ્મ’ !
ભૂમિપુત્ર : ૧ એપ્રિલ, ૨૦૨૪ શુચિતા તરફ.... ૩ પાણી માણસની મૂળભૂત આવશ્યકતાઓમાંની એક છે. માણસના શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે. આ પ્રમાણ જળવાઈ રહે તે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ખાધા વિના માણસ ઘણા દિવસો રહી શકે છે, પરંતુ પાણી વિના થોડા કલાકો સુધી રહેવું પણ મુશ્કેલ છે. તેથી જ પાણી એ ‘જીવન’ કહેવાય …