રેલવે અને રોગચાળો – ગાંધીજી શું કહે છે?

ગાંધીજી કહે છે, "રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગો આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' - સૂતક - આપણે પહેલાં પાળતા. રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે. જ્યાં મોંઘવારી હોય ત્યાં અનાજ તણાઈ જાય છે, લોકો બેદરકાર બને છે અને તેથી દુકાળનું દુઃખ વધે છે."

લોકો નશો શા માટે કરે છે?

હમણાં લોકડાઉનમાં દારૂના વેચાણની છૂટ આપવામાં આવી. અને લોકો જાણે નિયમો ભૂલીને દારૂ ખરીદવા નીકળી પડ્યા. વર્ષ ૧૮૯૦માં મહર્ષિ તોલસ્તોય પોતાના જાણીતા લેખ ‘વ્હાય ડુ મેન સ્ટુપફાઈ દેમસેલ્વ્સ’માં આ અંગે કેટલાક વિચારો રજૂ કર્યા હતાં...

કોરોનાનો માનવ જાતને પત્ર…

પૃથ્વી પોતાના અંતિમ શ્વાસ લે તે પહેલાં સામુહિક રીતે આપણે શાંતિથી વિચારવાની આ તક છે. ખાસ તો તમારે મનુષ્યોએ. ભૂલોને સુધારીને સહિયારા ભવિષ્ય નિર્માણ માટેનો મારગ પસંદ કરવાની આ સોનેરી તક છે. તો મને કહો કે તમે ભવિષ્ય માટે કયો રસ્તો પસંદ કરશો?

સમાજમાં હિંસા ભૂખમરાને કારણે જન્મે છે – વિનોબા

સમાજમાં હિંસા એટલા માટે નથી જન્મતી કે લોકોને તેમાં રુચિ છે અથવા રસ પડે છે. પરંતુ તેનું જનમવાનું કારણ ભૂખમરો છે. આજે અનેક લોકોને ભૂખ્યા રહેવું પડે છે. સ્વાભાવિક છે કે આ હાલતમાં દુનિયામાં શાંતિ રહેવી અશક્ય છે. દરેક વ્યક્તિ ઉત્પાદનના કામમાં રસ લે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે.

આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

કોરોના વાયરસથી સર્જાયેલી મહામારીએ જાણે મૂડીવાદ રૂપી મશીનનું એન્જીન જાણે ઠપ કરી દીધું છે. પરંતુ આ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી. આજે સમગ્ર માનવજાતિ થોડાં સમય માટે પોતાના ઘરોમાં કેદ છે. ત્યારે પૃથ્વી સ્વયંનું સ્વાસ્થ્ય સુધારવાની ક્ષમતા ધરાવે છે તેનો અણસાર મળી રહ્યો છે. જ્યારે આપણે બીમાર અને કશું કરવાની ક્ષમતા ધરાવતા ન હતા ત્યારે પણ …

Continue reading આપણે કશું કરીશું નહીં તો આપણે કાયમ માટે કેદ થઈ જઈશું

આદિવાસી કરે સવાલ : આત્મનિર્ભર બનવા ખેતી કે પ્રવાસન?

વિશ્વમાં - ખાસ કરીને ત્રીજા વિશ્વમાં - વિકાસનું સ્વરૂપ અને માળખું એવું જોવા મળે છે કે નિષ્ણાત ડિઝાઇન-નકશો બનાવે, સરકાર તેનો અમલ કરે, વહીવટ તંત્ર તેનું વ્યવસ્થાપન કરે, બળુકા તેનો લાભ લે અને ગરીબ / મેહનત કરનાર તેની કિંમત ચૂકવે. આ હકીકત ગયા 70 કહો કે 200 વર્ષની વાસ્તવિકતા રહી છે પછી તે ખાણ હોય, …

Continue reading આદિવાસી કરે સવાલ : આત્મનિર્ભર બનવા ખેતી કે પ્રવાસન?

પાડોશી

ઝરીના ક્યારની એના ફ્લેટની બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. અનિતા ઑફિસેથી આવીને હાથમાં કૉફીનો મગ લઈને બાલ્કનીમાં આવે ને બેઉની ગપ્પાગોષ્ટિ ચાલુ થતી, ‘ઝરીનાભાભી, આજ ખાનેમેં ક્યા બનાનેકા પ્લાન હૈ?’ આમ તો ઝરીના ગુજરાતી પાડોશમાં રહીને ઘણું સારું ગુજરાતી બોલતી થઈ ગઈ હતી પણ અનિતાથી એની સાથે હિંદીમાં જ બોલાઈ જતું. ‘હજી તો કંઈ વિચાર્યું નથી. પણ …

Continue reading પાડોશી

કોરોના મહામારી અને લોકડાઉન : કેટલું જરૂરી? કેટલું અસરકારક?

કોરોના / કોવિડ -19ની મહામારીને ખતમ કરવા માટેની દેશવ્યાપી તાળાબંધીની 50 દિવસ પૂરા થવામાં છે. ત્યારે અત્યાર સુધીની પરિસ્થિતિનું આકલન કરીને નીચેના પ્રશ્નોના સાચા તથ્યો આધારિત જવાબો મેળવીએ એ ખૂબ જરૂરી છે: આ તાળાબંધી કેટલી જરૂરી હતી?મહામારીને અટકાવવામાં તે કેટલી અસરકારક રહી છે?અત્યારની પરિસ્થિતિ શું છે?આવનારા દિવસોમાં શું કરવાની જરૂર છે? એક વાયરસને રોકવા માટે …

Continue reading કોરોના મહામારી અને લોકડાઉન : કેટલું જરૂરી? કેટલું અસરકારક?

શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૬

હવે ખેતી માટે આખા ગામે એક થવું જરૂરી છે, તો જ સામા વહેણે આપણે ટકી શકીશું. આજ છે આપણી સામુહિક સાધના. કોરોના ખેડૂતોને સ્વાવલંબન માટે સજીવ ખેતી તરફ વળવાનો નિર્દેશ કરી રહ્યો છે. ગ્રામસભાના સંગઠન તરફવાળી રહ્યો છે. સહયોગ કરવાની દિશા દેખાડી રહ્યો છે. વિશાળ-પરિવારની રચનાનો સંકેત આપી રહ્યો છે. આ હકીકતની સોનેરી બાજુ એ છે કે સ્વાવલંબન માટે ખેતી કરનાર ખેડૂત અને તેને મદદરૂપ થનાર શ્રમજીવી વર્ગ, પોતાની મહેનતથી અન્નસુરક્ષા પ્રાપ્ત કરી શકશે.

શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૫

કેટલીક જમીન શ્રમ આધારિત જીવન જીવવા ઇચ્છુક યુવા દંપતીઓને સાધન, સુવિધા અને લઘુત્તમ મૂડીની સાથે, ‘સ્વાવલંબન માટે ખેતીના પ્રયોગ’ એ વર્તમાન સમયમાં કેટલા વ્યાવહારિક છે તેની પરખ માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ માટે આપે. સમાજ આને ખેડૂતોના સામાજિક યોગદાન તરીકે આ પ્રવૃત્તિને જુએ.

શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૩

ખેડૂત પરિવારની યુવા પેઢી, ખેતીનું શ્રમમય જીવન જીવવા ગામમાં રહેવા નથી માંગતી. નોકરી મળતી નથી. કોઈપણ ગ્રામોદ્યોગ બજારમાં ટકતો નથી. શિક્ષણથી સ્વાવલંબન સધાતું નથી. શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. મોટાં ઉદ્યોગોથી બેરોજગારીની સમસ્યા ઉકેલાઈ શકતી નથી......

શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૨

જો આસુરી સત્તાને પરાસ્ત કરવી હોય તો અસુરને પરાસ્ત કરવો પડશે. અસુર છે ‘લફંગો’ રૂપિયો. આજે તેનું રાજ ચાલે છે બજારમાં. તે શ્રમજીવીને ભૌતિક વિકાસનું લોલિપોપ દેખાડે છે. બજાર એ મોહને પ્રોત્સાહન આપે છે. બજાર ‘લફંગા રૂપિયાની’ મદદથી શ્રમજીવીના શોષણનું સાધન છે, તેમને પરાવલંબન તરફ ધકેલનારુ, લાચાર બનાવનારુ, આ વાત સમજી લેવી પડશે. શ્રમજીવીએ બજાર તરફથી મુખ ફેરવી લેવું પડશે. આ પ્રવાહમાં આપણે વહી ન જઈએ તે બાબતે સજાગ રહેવું પડશે.

કોરોના અને ભારતીય લોકતંત્ર

ભારતના સંદર્ભમાં આ કાયદાકીય અને નીતિગત ફેરફારો અને તેની અસરો કોરોના પછી પણ ભારતીય લોકતંત્ર અને સમાજ પર તેની અસરો લાંબા સમય સુધી રહેશે. જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ વિકસાવવા અને જાળવવા માટે સરકારના હાથમાં વધુ સત્તા આવે તે આ સમયની જરૂરિયાત છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ જરૂરિયાત મુજબ, કોઈ ભેદભાવ વિના અને નિશ્ચિત સમય પુરતો માર્યાદિત રહે તે નિશ્ચિત કરવું જરૂરી છે. આ ઉપરાંત પ્રશ્નો અને વૈચારિક વિરોધનું દમન પણ ન થવું જોઈએ.

જ્યારે મૂળભૂત સુરક્ષાને નકારવામાં આવે છે, આશા મરી પરવારે છે

......વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લોકડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.