નવી શિક્ષણનીતિ : હાંસિયામાં રહેલા લોકોના પ્રશ્નો

34 વર્ષે જૂની શિક્ષણનીતિને બાજુએ મૂકીને હવે નવી શિક્ષણ- નીતિને અમલમાં લાવવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે. દેશ આખાનાં આર્થિક તેમજ સામાજિક ક્ષેત્રોમાં ખાનગીકરણનું આધિપત્ય છે, તે હવે શિક્ષણક્ષેત્રમાં પણ વધુ ને વધુ પગપેસારો કરતું જાય છે. આજે ભારતમાં ઉચ્ચ શિક્ષણ આપતી 50,000 સંસ્થાઓ છે. તેમાં 3 કરોડ, 50 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યાં છે. સમાનતાની વાતો ભલે થતી રહે, હકીકત એ છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં આઈ.આઈ.ટી.માંથી 2400 વિદ્યાર્થીઓ ખરી પડ્યાં તેમાંનાં લગભગ અડધોઅડધ વિદ્યાર્થીઓ દલિત તેમજ આદિવાસી હતાં.

ભણતરનો ભાર અને ભાર વિનાનું ભણતર

2020નું ઈસુ વરસ કોરોના મહામારીને લીધે ભારે પીડાદાયક રહ્યું. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા અને લાખોનાં મૉત થયાં. અનેક દેશોનાં અર્થતંત્રોને મોટી અસર થઈ. બેકારી અને ગરીબીમાં વધારો થયો. જો કે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી. મહામારીના પ્રથમ તબક્કામાં એક અંદાજ મુજબ વિશ્ર્વનાં 90 ટકા એટલે કે 1.5 અબજ બાળકો વર્ગખંડના શિક્ષણથી વંચિત રહ્યાં. ઓનલાઈન શિક્ષણની સુવિધા બધાં બાળકો સુધી પહોંચી નથી. દુનિયાનાં 46.3 કરોડ બાળકો પાસે ઓનલાઈન શિક્ષણની સગવડ નથી. નવેમ્બર 2020 સુધીમાં વિશ્વના 60 કરોડ બાળકોને શિક્ષણથી દૂર રહેવું પડ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના એક અભ્યાસ મુજબ મહાનગર અમદાવાદનાં 30 ટકા બાળકો સુધી છેલ્લા નવ મહિનાથી કોઈ પણ પ્રકારનું શિક્ષણ પહોંચ્યું નથી.

યાત્રા-અધ્યયન-પ્રસાદી

ભૂદાન-યાત્રામાં મારું જે અધ્યયન ચાલ્યું, તેનું સ્વરૂપ સંગ્રહનું નહીં, દાનનું હતું. લોકહૃદયમાં પ્રવેશ માટે નિમિત્ત તે તે પ્રાંતની તે તે ભાષાના સાહિત્યનું અધ્યયન મારા પર લાદવામાં આવે, મતલબ એ કે પ્રેમથી તેને હું મારા પર લાદી દઉં છું. ઓરિસ્સાની ભૂદાન-યાત્રા વખતે ઉડિયા ભાષા શીખવાને નિમિત્તે ઉડિયાના ભક્ત શિરોમણિ જગન્નાથદાસ દ્વારા રચિત ભાગવતનું અધ્યયન કરવાનો મોકો મળ્યો. અધ્યયન હેતુ એમનો એકાદશ સ્કંધ અમે પસંદ કર્યો. યાત્રામાં જ અધવચ્ચે કલાક-અડધો કલાક રોકાઈને કોઈ ખેતરમાં એકાંતમાં બેસીને બધા યાત્રીઓ સહ-અધ્યયન કરતા.

સફળતા માટે વિનોબા વિદ્યાર્થીઓને શું સલાહ આપે છે?

નિશાળોમાં ગણિત, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયોનું શિક્ષણ અપાય છે, એમાં સુધારો કરીને ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવે, એ અમે કહીએ છીએ. નિ:સંદેહ, જીવનમાં ગણિત વગેરેનો ઉપયોગ છે, ઉદ્યોગની આવશ્યકતા તો સ્પષ્ટ છે જ. તેમ છતાં એટલાથી કામ નહીં ચાલે. માટે ઉદ્યોગ તથા બીજા વિષયોની યોજના કરવી જોઈએ.

શિક્ષણના ત્રિદોષ

સમાજમાંથી શોષણ બંધ થવું જોઈએ. શિક્ષણમાં પહેલેથી જ આ બાબત પર અત્યંત ભાર મુકાય અને આ માટેની તાલીમ અપાય. શિક્ષણ બીજાને લૂંટવાનું કેવી રીતે કરી શકે ? એક માણસ દ્વારા બીજા માણસનું તેમ જ શહેર દ્વારા ગામડાનું શોષણ બંધ થવું જોઈએ.

નવી શિક્ષણનીતિનો ફાયદો વિદ્યાર્થીને, સરકારને, ખાનગી સંચાલકો કે ઉદ્યોગોને?

આજના મહત્ત્વપૂર્ણ પડાવે આપણે સૌએ એ સમજવાની જરૂર છે કે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 કયો એજન્ડા લઈને આપણી સામે આવી છે, અને તે કોને માટે લઈને આવી છે. આમ કરવા માટે કોઈ પણ નીતિ હોય, તેમાં જે લખ્યું હોય છે તેની વચ્ચેની કોરી જગ્યા (Reading Between The Lines) માં શું છે તે સમજી લેવું સૌથી જરૂરી હોય છે. આમ કરીશું તો જે-તે નીતિનું વિશ્લેષણ સાચી રીતે કરી શકીશું.

કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?

આ લેખ છપાશે ત્યારે વર્ષ પૂરું થયું હશે.... જમ્મુ-કશ્મીરમાં લોકડાઉનને. કોરોનાને કારણે દેશ બે મહિના બંધ શું રહ્યો....પડ્યાની કળ કયારે વળશે તે ખબર નથી. ત્યારે જમ્મુ-કશ્મીરના લોકોએ આ પરિસ્થિતિમાં લગભગ એક વર્ષ જેટલો સમય પસાર કર્યો, અને હજી કેટલા દિવસ, અને કેવા દિવસો આમ પસાર થશે, તેના અંગે કોઈને કશી ખબર નથી. આટલી અનિશ્ર્ચિતતા વચ્ચે …

Continue reading કશ્મીર : એક વર્ષ પરિવર્તનનું કે દમનનું ?